અણ્ણાની ટીમમાં વીકે સિંહનો સમાવેશ થઇ શકે છે: કિરણ બેદી

આટલું જ નહી કિરણ બેદીએ જે સંભવિત લોકોના નામ આપ્યાં છે તેમાં યૂપીના પુર્વ પોલીસ મહાનિયામક પ્રકાશ સિંહ, પીવી રાજગોપાલ, રાજેન્દ્ર સિંહ, મિન્હાસ મર્ચેટ અન બુરેલાલનું નામ સામેલ છે. પરંતુ આ સંભવિત યાદી છે માટે ફાઇનલ કહી ના શકાય કે ટીમમાં કોણ-કોણ છે. કિરણ બેદીના જણાવ્યા મુજબ આ વખતે ટીમનું રજિસ્ટ્રેશન એક ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે જેનું કેન્દ્ર અણ્ણાના ગામ રાલેગણમાં હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણાએ જાહેરાત કરી હતી કે 24 થી 25 નવેમ્બરમાં રાલેગણ સિદ્ધિમાં એક બેઠક યોજાશે જેમાં નવી કોર કમેટી અને સ્વંયસેવકોની જાહેરાત કરવામાં આવશે. અણ્ણાએ કહ્યું હતું કે અમે જુના લોકોનો સંપર્ક કરીશુ પરંતુ તે લોકો આ નવી કમીટી ભાગ બનશે કે નહી તે નક્કી નથી. સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ જન લોકપાલ અને ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધની લડાઇની શરૂઆત પટનાથી કરશે જે જાન્યુઆરીથી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
