કોરોનાના નવા વેરિઅંટનુ વધ્યુ જોખમ, બેંગલુરુ એરપોર્ટ પર તેજ થયુ ટેસ્ટિંગ અભિયાન
દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા બે ભારતીય નાગરિકોના કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યા છે ત્યારબાદ બેંગલુરુમાં એરપોર્ટ પર ટેસ્ટિંગ અભિયાન તેજ થઈ ગયુ છે.
બેંગલુરુઃ ભારતમાં કોરોનાના નવા વેરિઅંટનુ જોખમ વધી રહ્યુ છે. દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા બે ભારતીય નાગરિકોના કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યા છે ત્યારબાદ બેંગલુરુમાં એરપોર્ટ પર ટેસ્ટ અને સેનિટાઈઝેશન અભિયાનને વધારી દેવામાં આવ્યુ છે. અબૂ ધાબી જઈ રહેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે અમે પોતાનો આરટી-પીસીઆર રિપોર્ટ બતાવ્યો હતો તેમછતા તેના અધિકારીઓએ અમારો ટેસ્ટ કરાવ્યો અને આના માટે અમારે 3000 રૂપિયા આપવા પડ્યા.
બેંગલુરુના ગ્રામીણ જિલ્લા આરોગ્ય અધિકારી ટિપેસ્વામીએ કહ્યુય કે જે પણ યાત્રી વિદેશથી આવી રહ્યા છે તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ પણ તેમને સાત દિવસ માટે ક્વૉરંટાઈનમાં રાખવામાં આવશે, 7 દિવસ બાદ તેમનો ફરીથી ટેસ્ટ હશે. 598 મુસાફરો એવા મળ્યા છે જેમને સર્વિલાંસ પર રાખવામાં આવ્યા છે. અમે આ મુદ્દે એ યાત્રીઓ સાથે વાત કરી છે કે જે કેરળ, મહારાષ્ટ્રથી બેંગલુરુ આવી રહ્યા છે અને તેમની પાસે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ કે પછી વેક્સીનેશનનો રિપોર્ટ નથી. અમે પહેલા જ એરલાઈન કંપનીઓને કહી દીધુ છે કે તે રિપોર્ટ વિના મુસાફરોને આવવા ન દે.