For Quick Alerts
For Daily Alerts
યશવંત સિન્હાએ કહ્યું, મોદી જ બનશે દેશના પ્રધાનમંત્રી!
આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં નરેન્દ્ર મોદી પણ હાજરી આપવા જઇ રહ્યા છે. અને બેઠકમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી બાજું સુત્રો અનુસાર આ બેઠકમાં ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ગેરહાજર રહે તેવા અનુમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી યશંવત સિન્હાએ પહેલા પણ નરેન્દ્ર મોદીને એવી સલાહ આપી હતી કે તેઓ જાહેરમાં કોંગ્રેસ વિરુદ્ધ વધારે બોલવાનું ટાળે. નહીંતર કોંગ્રેસને તેમની પર પ્રહાર કરવાની તકો મળી જશે અને લોકોનું ધ્યાન કોંગ્રેસના કૌભાંડ પરથી હટીને ગુજરાત રમખાણ પર આવી જશે. ત્યારપછી યશવંત સિન્હાએ મીડિયા સામે આવીને પોતાનો વિશ્વાસ રજુ કરતા જણાવ્યુ હતું કે 'હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહું છું કે દેશના નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે.'
narendra modi prime minster yashawant sinha lok sabha election 2014 bjp બીજેપી નરેન્દ્ર મોદી યશવંત સિન્હા લોકસભા ચૂંટણી 2014 પ્રધાનમંત્રી
English summary
The next Prime Minister of this country will be Narendra Modi, Yashwant Sinha said to reporters.
Story first published: Thursday, August 1, 2013, 12:48 [IST]