For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યશવંત સિન્હાએ કહ્યું, મોદી જ બનશે દેશના પ્રધાનમંત્રી!

|
Google Oneindia Gujarati News

yashwant sinha
નવી દિલ્હી, 1 ઑગસ્ટ: આરએસએસના વરિષ્ઠ નેતાઓની સાથે બીજેપી ગુરુવારે દિલ્હી ખાતે બેઠક કરી રહી છે. સૂત્રોની માનીએ તો આરએસએસ અને બીજેપી આ બેઠકમાં પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર ચર્ચા-વિચારણા કરી શકે છે. આ ઉપરાંત બીજેપી સાંસદ યશવંત સિન્હાએ નરેન્દ્ર મોદી અંગે જણાવ્યું કે તેમને પૂરેપૂરો વિશ્વાસ છે કે દેશના હવે પછીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે.

આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં નરેન્દ્ર મોદી પણ હાજરી આપવા જઇ રહ્યા છે. અને બેઠકમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી બાજું સુત્રો અનુસાર આ બેઠકમાં ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ગેરહાજર રહે તેવા અનુમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી યશંવત સિન્હાએ પહેલા પણ નરેન્દ્ર મોદીને એવી સલાહ આપી હતી કે તેઓ જાહેરમાં કોંગ્રેસ વિરુદ્ધ વધારે બોલવાનું ટાળે. નહીંતર કોંગ્રેસને તેમની પર પ્રહાર કરવાની તકો મળી જશે અને લોકોનું ધ્યાન કોંગ્રેસના કૌભાંડ પરથી હટીને ગુજરાત રમખાણ પર આવી જશે. ત્યારપછી યશવંત સિન્હાએ મીડિયા સામે આવીને પોતાનો વિશ્વાસ રજુ કરતા જણાવ્યુ હતું કે 'હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહું છું કે દેશના નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે.'

English summary
The next Prime Minister of this country will be Narendra Modi, Yashwant Sinha said to reporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X