નિર્ભયા જ જવાબદાર હતી તેના રેપ માટે : મુકેશ સિંહ
આરોપી મુકેશ સિંહે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, નિર્ભયા પોતે જ જવાબદાર છે તેના બળાત્કાર અને તેની હત્યા માટે.
દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા બળાત્કાર અને હત્યાના આરોપી મુકેશ સિંહે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં બળાત્કાર માટે નિર્ભયાને જવાબદાર ગણાવી હતી. મુકેશ સિંહનું કહેવું હતું કે "જો નિર્ભયા ચૂપ રહી હોત અને કોઇ પ્રતિકાર ન કર્યો હોત તો એનો જીવ બચી જાત.."
એટલું જ નહીં, મુકેશ સિંહે કહ્યું હતું કે 'કોઈ પણ સંસ્કારી છોકરી મોડી રાતે રસ્તા પર નથી ફરતી.ડિસ્કો-ડાન્સમાં જતી છોકરીઓ જ મોડી રાતે ફરતી હોય છે અને આવામાં તેની જોડે કંઇ ખરાબ થાય તો તે માટે છોકરી પોતે જવાબદાર છે, છોકરાનો એટલો વાંક નથી.'
વધુમાં, પોતાને મળેલી મોતની સજા અંગે બોલતા મુકેશ સિંહ કહ્યું હતું કે 'મોતની સજાથી પરિસ્થિતિ વધુ વકરશે, હવે આરોપીઓ અમારી જેમ છોકરીઓને જીવતી નહીં છોડે'.
નોંધનીય છે કે દિલ્હીમાં, 16 ડિસેમ્બર 2012ના રોજ 32 વર્ષીય નિર્ભયા સાથે ચાલતી બસમાં ગેંગરેપ થયો હતો અને ત્યારબાદ તેની ક્રુર રીતે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર ભારત દેશને હચમચાવી દીધો હતો. જો કે કોર્ટમાં મુકેશે પોતાના બચાવમાં કહ્યું હતું કે, તે આ ઘટના વખતે બસ ચલાવી રહ્યો હતો અને તેનો આ કૃત્યમાં કોઇ હાથ નથી.
આજે એટલે કે, 5 મે 2017ના રોજ સુપ્રીમ કોર્ટ આ કંસ અંગે પોતાનો અંતિમ નિર્ણય સંભળવાશે. 27 માર્ચ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ, એમિકસ ક્યૂરી અને દોષીઓના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે નિર્ણય મોકૂફ રાખ્યો હતો. નિર્ભયાના પરિવારજનોએ દોષીઓની સજા કાયમ રાખવાની માંગણી કરી છે.