નિતિન ગડકરીએ જવાહરલાલ નહેરુની કરી પ્રશંસા, કહ્યુ- એ હિંદુસ્તાનના લોકતંત્રા આદર્શ નેતા હતા
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નિતિન ગડકરીએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પ્રશંસા કરી છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નિતિન ગડકરીએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પ્રશંસા કરી છે. નિતિન ગડકરીએ જવાહરલાલ નહેરુને હિંદુસ્તાનના લોકતંત્રના આદર્શ નેતા ગણાવ્યા છે. એક ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરીને નિતિન ગડકરીએ કહ્યુ, 'વાજપેયી અને નહેરુ, આ બંને હિંદુસ્તાનના આદર્શ નેતા હતા. આ બંને નેતાઓનુ કહેવુ હતુ કે હું પોતાની લોકતાંત્રિક મર્યાદાનુ પાલન કરીશ.' નિતિન ગડકરીએ કહ્યુ કે સત્તા પક્ષની સાથે-સાથે વિપક્ષના લોકોને પણ આત્મનિરીક્ષણ કરવાની બહુ જરુર છે.

નિતિન ગડકરીએ બુધવારે (18 ઓગસ્ટ) હિંદી સમાચાર ચેનલ ન્યૂઝ નેશન દ્વારા આયોજિતએક સમારંભમાં કહ્યુ કે, 'સત્તાધારી પક્ષની સાથે-સાથે વિપક્ષમાં રહેનારાએ આત્મનિરીક્ષણ કરવુ જોઈએ અને સમ્માન સાથે કાર્ય કરવુ જોઈએ. નિતિન ગડકરીએ કહ્યુ કે અટલજીનો વારસો આપણી પ્રેરણા છે અને પંડિત જવાહરલાલ નહેરુનુ પણ ભારતીય લોકતંત્રમાં મોટુ યોગદાન હતુ.' નિતિન ગડકરી હાલમાં જ થયેલા ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં થયેલા હોબાળા અને વિપક્ષ પર વાત કરી રહ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાના સમયને યાદ કરીને નિતિન ગડકરીએ કહ્યુ કે, 'એક સમય હતો જ્યારે તેમણે સંસદને સ્થગિત થવાથી બચાવવા માટે પ્રભારીનુ નેતૃત્વ કર્યુ હતુ. નિતિન ગડકરીએ કહ્યુ કે એ દિવસોમાં એક વાર હું અટલજીને મળ્યો હતો અને તેમણે મને કહ્યુ હતુ કે લોકતંત્રમાં કામ કરવાની આ કોઈ રીત નથી અને લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવો મહત્વપૂર્ણ છે.' નિતિન ગડકરીએ કહ્યુ કે, 'હું પણ પાર્ટીને અધ્યક્ષ રહી ચૂક્યો છુ. બધુ પાર્ટીઓએ વિચારવુ જોઈએ. એક વાર આનુ આત્મ પરીક્ષણ કરવુ જોઈએ. જે આજે વિપક્ષમાં છે તે કાલે સત્તામાં હશે અને જે આજે સત્તામાં છે તે કાલે વિપક્ષમાં હશે. અમારી ભૂમિકાઓ બદલાતી રહે છે.'












Click it and Unblock the Notifications
