નવી સરકારમાં નીતિન ગડકરીની અગત્યની ભૂમિકા હશે
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝીટ પોલ્સ અનુસાર, કેન્દ્રમાં એનડીએ સરકાર બની શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝીટ પોલ્સ અનુસાર, કેન્દ્રમાં એનડીએ સરકાર બની શકે છે. જયારે એક્ઝીટ પોલના પરિણામો આવ્યા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે આરએસએસ નેતા ભૈયાજી જોશી સાથે મુલાકાત કરી, જેને કારણે ઘણી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન
નીતિન ગડકરીની અગત્યની ભૂમિકા હશે
લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા ગુરુવારે થશે. પોલ ઓફ પોલ્સ અનુસાર, એનડીએ લગભગ 300 કરતા પણ વધારે સીટો જીતી શકે છે, જયારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ 122 અને અન્ય દળો 114 સીટો મેળવી શકે છે. નીતિન ગડકરીના નજીકના સૂત્રો અનુસાર આરએસએસ નેતાઓ સાથે તેમની મુલાકાત એક્ઝીટ પોલના સંદર્ભમાં શિષ્ટચાર ભેટ હતી. સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવનારી સરકારમાં નીતિન ગડકરીની ભૂમિકા અંગે પણ ચર્ચા થઇ. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ગડકરી સંઘના નજીક છે.
નીતિન ગડકરીએ આરએસએસ નેતાઓ સાથે મુલાકાત કરી
લગભગ 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ શામિલ હતા, જેમને મીડિયા સાથે ઘણી સરકારી યોજનાઓ પર ચર્ચા કરી. જયારે એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક્ઝીટ પોલ અંતિમ નિર્ણય નથી, પરંતુ સંકેત આપે છે કે ફરી એકવાર એનડીએ સરકાર ઘ્વારા કરવામાં આવેલા વિકાસના કામોના દમ પર ભાજપા સત્તામાં આવવાના સંકેત છે.
ગુરુવારે ચૂંટણીના પરિણામો આવશે
એક સવાલના જવાબમાં નીતિન ગડકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક્ઝીટ પોલમાં જે વાત સામે આવી છે, પરિણામોમાં પણ તેની ઝલક જોવા મળશે. કેન્દ્રીય મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશના લોકો ફરી એકવાર ભાજપા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છેલ્લા પાંચ વર્ષમાં અમારા ઘ્વારા કરવામાં આવેલા કામોનું સમર્થન કરી રહ્યા છે અને એક્ઝીટ પોલ તેનો એક સંકેત છે. આપને જણાવી દઈએ કે સાત તબક્કામાં પુરી થયેલી લોકસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે એટલે કે 23 મેં દરમિયાન જાહેર કરવામાં આવશે.