For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાબોધિ સીરિયલ બ્લાસ્ટમાં નીતિશ કુમારની છટકબારી

|
Google Oneindia Gujarati News

nitish kumar
પટણા, 7 જુલાઇ : બિહારના બોધગયામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ મંદિર મહાબોધિ મંદિરના પરિસરમાં આજે વહેલી સવારે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયાં હતા. મંદિરમાં બે-બે મીનિટના અંતરે સતત 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. તેમજ બે જીવતા ટાઇમ બોમ્બને પણ નિષ્ક્રિય કરવામાં આવ્યા. આ વિસ્ફોટમાં 2 વિદેશી ભિક્ષુઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ બ્લાસ્ટના પગલે સફાળી જાગેલી નીતિશ કુમારની સરકારી ટોળી ઘટના સ્થળે દોડી આવી.

ઘટના બાદ સફાળા જાગેલા નીતિશ કુમાર તેમના ઉચ્ચ અધિકારીઓની ટોળકી સાથે મહાબોધિ મંદિરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નીતિશ કુમારે મંદિરમાં જ્યાં બ્લાસ્ટ થયા ત્યાં અને મંદિર પ્રશાસકોની મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે 'આ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેમને સખતમાં સખત સજા કરવામાં આવશે.'

આ ઉપરાંત નીતિશ કુમારે જણાવ્યું કે 'આ આતંકવાદી હુમલાની તપાસ સીઆઇએસએફને સોંપવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે, તેમજ એનઆઇએની ટીમ વધુ તપાસ માટે અત્રે આવી રહી છે'

નીતિશ કુમારને સુરક્ષામાં ચૂંકને પગલે પૂછાયેલા પ્રશ્નો અંગે છટકબારીભર્યા જવાબ આપતા જણાવ્યું કે 'અમને આવા કોઇ આતંકવાદી હુમલાની જાણકારી ઇન્ટેલીજન્સ એજન્સી તરફથી મળી હતી અને એના અનુરુપ અમે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને તેની પાછળ જેનો પણ હાથ હશે તેમને કડક સજા ફટકારવામાં આવશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ પ્રાચિન મહાબોધિ વૃક્ષની પાસે, મંદિરની બહાર અને મંદિરના પ્રાંગણમાં થયા હતા, જે સવારે અંદાજે 5.25 વાગ્યે થયા હતા. આ સમયે મહાબોધિ વૃક્ષની પાસે કેટલાક વિદેશી શ્રદ્ધાળુઓ સહિત કેટલાંક બૌદ્ધ ગુરુઓ મેડિટેશન કરી રહ્યા હતા. જેમાંથી બે લોકો ઘાયલ થયા છે.

English summary
Bihar Chief Minister Nitish Kumar today strongly condemned the serial blasts in and around Mahabodhi temple in Bodh Gaya and demanded deployment of the Central Industrial Security Force (CISF) to protect the world famous Buddhist shrine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X