મહાબોધિ સીરિયલ બ્લાસ્ટમાં નીતિશ કુમારની છટકબારી
ઘટના બાદ સફાળા જાગેલા નીતિશ કુમાર તેમના ઉચ્ચ અધિકારીઓની ટોળકી સાથે મહાબોધિ મંદિરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નીતિશ કુમારે મંદિરમાં જ્યાં બ્લાસ્ટ થયા ત્યાં અને મંદિર પ્રશાસકોની મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે 'આ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેમને સખતમાં સખત સજા કરવામાં આવશે.'
આ ઉપરાંત નીતિશ કુમારે જણાવ્યું કે 'આ આતંકવાદી હુમલાની તપાસ સીઆઇએસએફને સોંપવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે, તેમજ એનઆઇએની ટીમ વધુ તપાસ માટે અત્રે આવી રહી છે'
નીતિશ કુમારને સુરક્ષામાં ચૂંકને પગલે પૂછાયેલા પ્રશ્નો અંગે છટકબારીભર્યા જવાબ આપતા જણાવ્યું કે 'અમને આવા કોઇ આતંકવાદી હુમલાની જાણકારી ઇન્ટેલીજન્સ એજન્સી તરફથી મળી હતી અને એના અનુરુપ અમે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને તેની પાછળ જેનો પણ હાથ હશે તેમને કડક સજા ફટકારવામાં આવશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ પ્રાચિન મહાબોધિ વૃક્ષની પાસે, મંદિરની બહાર અને મંદિરના પ્રાંગણમાં થયા હતા, જે સવારે અંદાજે 5.25 વાગ્યે થયા હતા. આ સમયે મહાબોધિ વૃક્ષની પાસે કેટલાક વિદેશી શ્રદ્ધાળુઓ સહિત કેટલાંક બૌદ્ધ ગુરુઓ મેડિટેશન કરી રહ્યા હતા. જેમાંથી બે લોકો ઘાયલ થયા છે.