જાતિ વસ્તી ગણતરીની ચર્ચા માટે નીતિશ કુમારે સર્વદળીય બેઠક બોલાવી
નીતિશ કુમાર સરકારે જાતિ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરીને મોટો દાવ ખેલ્યો છે. હવે તેમને આ મુદ્દે ચર્ચા કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવી છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહાર જાતિ વસ્તી ગણતરીના અહેવાલે વિગતો શેર કરવા અને આ સંદર્ભે આગળ શું પગલાં ભરવા તેની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

નીતિશ કુમારે રાજ્યની તમામ 9 પાર્ટીઓને ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, સરકાર પરિણામો પાછળની ગણતરીઓ અને સર્વેમાં સામેલ લોકોની આર્થિક સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપશે.
નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બધું કર્યા પછી પરિણામ આવ્યું. અમે દરેક પરિવારની આર્થિક સ્થિતિ વિશે માહિતી લીધી છે. આવતીકાલે સર્વપક્ષીય બેઠકમાં તમામ મુદ્દાઓ રજૂ કરીશું. સરકાર દરેકના સૂચનો લીધા બાદ જરૂરી પગલાં લેશે.
જણાવી દઈએ કે, બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના પરિણામો જારી કર્યા છે. વસ્તી ગણતરીમાં બહાર આવ્યું છે કે અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી બિહારની વસ્તીના 63 ટકા છે. આ વસ્તી ગણતરી દર્શાવે છે કે, 13 કરોડની વસ્તીમાં અનુસૂચિત જાતિનો હિસ્સો 19 ટકાથી વધુ છે, જ્યારે અનુસૂચિત જનજાતિની સંખ્યા 1.68 ટકા છે. ઉચ્ચ જાતિ અથવા સવર્ણ રાજ્યની વસ્તીના 15.52 ટકા છે.
આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયેલ સર્વેક્ષણને પટના હાઈકોર્ટે થોડા સમય માટે અટકાવી દીધું હતું, તેને પડકારતી ઘણી અરજીઓની સુનાવણી કરી રહી હતી. રાજ્યમાં સત્તાધારી મહાગઠબંધનના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે અરજી દાખલ કરનારા લોકો બીજેપીના સમર્થક હતા. જો કે, બીજેપીએ આ આરોપને નકારી કાઢ્યા છે.
નીતિશ કુમારે કહ્યું કે, રિપોર્ટના આધારે સરકાર રાજ્યમાં પછાત સમુદાયોના લાભ માટે કામ કરશે. બીજેપી પર કટાક્ષ કરતા તેમણે પૂછ્યું કે, પાર્ટીએ પછાત સમુદાય માટે શું કર્યું છે? નીતિશ કુમારના સાથી આરજેડી વડા લાલુ યાદવે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. બીજેપી દ્વારા અનેક કાવતરાં અને કાયદાકીય અડચણો હોવા છતાં બિહાર સરકાર જાતિ આધારિત સર્વેને બહાર પાડવામાં સફળ રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
