ફરી પલ્ટી મારી INDIA ગઠબંધનમાં જઈ રહ્યાં છે નીતિશ કુમાર? જાણો કેમ શરૂ થઈ અટકળો?

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકાથી બીજેપીએ કેન્દ્રમાં સરકાર તો બનાવી લીધી છે. જો કે જે રીતે નીતિશ કુમાર તેવર દેખાડી રહ્યાં છે તેને જોતા ગમે ત્યારે મોદીની ગાડી પાટા પરથી ઉતરી શકે છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે પરંતુ વિપક્ષ સત્તા પરિવર્તનને લઈને સતત ઊંચા દાવાઓ કરી રહ્યું છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીના નેતાએ પણ આવો જ દાવો કર્યો છે.

Nitish Kumar

આરજેડી ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ બીજેપી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ભાજપ એક ગડબડવાળી પાર્ટી છે. તેમનું કામ માત્ર અન્ય પક્ષોના નેતાઓને હેરાન કરવાનું છે, પરંતુ જનતા જાણે છે કે આ બધી બીજેપીની ચાલ છે.

ભાઈ વીરેન્દ્રએ દાવો કર્યો કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં ભાજપને ઝટકો આપી શકે છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર ભાજપ છોડવા જઈ રહ્યા છે, આ પછી તેઓ ઈન્ડિયા એલાયન્સનો હિસ્સો બનશે. તેમણે દાવો કર્યો કે બિહારના સીએમના નિર્ણય બાદ બીજેપી રાજ્યમાં નહીં રહે.

લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ નીતિશ કુમારે બિહારમાં બીજેપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ અંગે ભાઈ વીરેન્દ્રએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પલ્ટુરામ કહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં કોઈ પિતા તેમના પુત્રનું નામ નીતિશ કુમાર નહીં રાખે. ભાઈ વીરેન્દ્રએ કહ્યું કે, નીતીશ કુમારે ઘણી વખત પલ્ટી મારી છે કે દેશમાં દરેક તેમને પલ્ટુરામ કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમને પલ્ટુરામ કહીને બોલાવ્યા છે અને હવે સમગ્ર બિહાર અને દેશભરના લોકો તેમને પલ્ટુરામ કહીને બોલાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X