મોદી સમર્થક ભાજપા મંત્રી ગિરિરાજ સિંહના નિતિશે કર્યા વખાણ

giriraj
પટણા, 16 એપ્રિલ: આવનાર લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને જેડીયૂ અને ભાજપની વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજીની વચ્ચે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે આજે મોદીના સમર્થક તથા પ્રદેશના પશુ સંસાધન મંત્રી ગિરિરાજ સિંહની પ્રશંસા કરી હતી. કમ્ફેડના 30માં સ્થાપના દિવસ પર આજે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગિરિરાજ સિંહના વખાણ કર્યા.

નિતિશે સિંહના વખાણ કરતા જણાવ્યું કે સિંહ પોતાના ઘરે બકરી પાળે છે અને આવનાર અતિથિયોને બકરીના દૂધની ચા પીવડાવે છે. તેઓ પ્રચાર કરતા રહે છે, ખૂબ જ સારુ કામ કરે છે અને તે કમ્ફેડને પણ કહેશે કે બકરી પાલનને પ્રોત્સાહન આપે. નિતિશે જણાવ્યું કે મહાત્મા ગાંધી બકરીનું દૂધ પીતા હતા અને તે સુપાચ્ય અને લાભકારી પણ હોય છે.

કાર્યક્રમ દરમિયાન નિતિશ દ્વારા વખાણ કરવા અંગે ગિરિરાજને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે 'તેઓ મુખ્યમંત્રી છે અને હું તેમના મંત્રિમંડળનો સભ્ય છું, અને તેમને સારુ લાગ્યું એટલે મારી પ્રશંસા કરી'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X