બિહાર વિશેષ રાજ્યઃ નીતિશ કુમારનો હુંકાર, આપણે સફળ થઇશું

ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું, '' 4 નવેમ્બર બિહાર માટે એક ઐતિહાસિક દિવસ છે. વર્ષો પહેલા એટલે કે 1974માં 4 નવેમ્બરે બિહારમાં જેપી આંદોલન શરૂ થયું હતું. મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા. આંદોલનમાં લોકો જોડાયા. આંદોલનમાં જોડાવા માટે આવેલા લોકો પર પોલીસે દમન વરસાવ્યું અને લાઠીચાર્જ કર્યું. 1942માં દેશ માટે લડનાર જેપી પર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો. એનું પરીણામ એ આવ્યું કે, તે સમયની કેન્દ્ર સરકારને સત્તા ગુમાવી પડી હતી. મને ખુશી છે કે બિહારને વિશેષ રાજ્ય બનાવવા માટે જે અધિકાર રેલી યોજવામાં આવી તેના માટે આ ઐતિહાસિક 4 નવેમ્બરનો દિવસ પસંદ કરવામાં આવ્યો, આપણે આપણા હકની લડાઇમાં સફળ થઇશું.''
''બિહાર વિધાનસભામાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે તે માટનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો, આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકારે મહોર લગાવવાની હોય પરંતુ તે કરવામાં આવતું નથી. કેન્દ્ર સરકારની નીતિ યોગ્ય નથી. આ પ્રસ્તાવ અંગે મે વડાપ્રધાનને મળવાની અનેક વખત ઇચ્છા દર્શાવી, પરંતુ તેમણે સમય ફાળવ્યો નથી. તે જ્યારે કહે ત્યારે તેમને મળવા માટે અમે તૈયાર છીએ પરંતુ તેમની પાસે બિહારની આ માંગ માટે સમય નથી. અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે તે માટે એ અભિયાન ચલાવ્યું એક કરોડ લોકોની સહી લેવનું, જેમાં એક કરોડ કરતા વધારે લોકોએ સહી કરી અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે ઝુંબેશમાં જોડાયા, પરંતુ કેન્દ્ર સરકારે આ એક કરોડ લોકોની માંગની સુનાવણી કરી નથી,'' તમે નીતિશ કુમારે ઉમેર્યું છે.
તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઇને ખોટા-ખોટા નિવેદનો અને વાયદાઓ કરવામાં આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
