Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nivar Cyclone: ચેન્નઈ એરપોર્ટે 26 ફ્લાઈટ કેંસલ કરી, કેટલીય ટ્રેન પણ રદ

Nivar Cyclone: ચેન્નઈ એરપોર્ટે 26 ફ્લાઈટ કેંસલ કરી, કેટલીય ટ્રેન પણ રદ

નવી દિલ્હીઃ બંગાની ખાડીથી ઉઠેલ ચક્રવાતી વાવાઝોડું નિવારને પગલે તમિલનાડુ અને પોંડિચેરીમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે તોફાન ખતરનાક સાઈક્લોનમાં તબ્દીલ થવાનું અનુમાન લગાવ્યું છે. તોફાનને પગલે ચેન્નઈમાં પાછલા 24 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેની ટ્રેન અને વિમાન સેવા પર અસર પડી છે. ચેન્નઈ એરપોર્ટ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ વાવાઝોડાને કારણે 26 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં કેટલીક ફ્લાઈટ ચેન્નઈમાં ઉતરવાની હતી.

rain

વાવાઝોડાને કારણે કેટલીય ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી અને કેટલીય ટ્રેનોની સફર વાવાઝોડા પ્રભાવિત સ્ટેશનો પહેલા જ ખતમ કરવાનો ફેસલો લીધો છે. દક્ષિણી રેલવે તરફથી જણાવવામાં આવ્યું કે બુધવારે બે ટ્રેન, 26 નવેમ્બરે સાત અને 28 નવેમ્બરે એક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. સાઉથ વેસ્ટર્ન રેલવેએ ગુરુવારે શેડ્યૂઅલ બે ટ્રેન રદ કરી દીધી છે. ટ્રેન નંબર 06865/06866 ચેન્નઈ-થનજાવુર સ્પેશિયલ ટ્રેન 25 નવેમ્બરે રદ રહેશે. આ ઉપરાંત જે ટ્રેન રદ થઈ તેના નંબર છે- 06232, 06188, 02898, 06231, 06187, 02084, 02083, 02634, 02633, 06724, 06723,06102 06101 અને 02897. રેલવેએ કહ્યું કે, રદ થયેલી ટ્રેનમાં જે મુસાફરોએ ટિકિટ બૂક કરી હતી તેમને પૂરું રિફંડ મળશે.

નિવાર વાવાઝોડું આજે સાંજે તમિલનાડુ અને પોંડિચેરીના તટ પર ટકરાશે. આ દરમ્યાન 100થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તેજ હવાઓ ફુંકાઈ શકે છે. વાવાઝોડાથી નિપટવા માટે તમિલનાડુ પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં 1200 રેસ્ક્યૂ ટ્રૂપર્સ તહેનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડા પહેલા જ તમિલનાડુ અને પોંડિચેરીના કેટલાય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X