હવે સરકારી અને ખાનગી સ્કૂલો વચ્ચેનો ભેદભાવ ખતમ થઈ ચૂક્યો છેઃ અરવિંદ કેજરીવાલ
છેલ્લા સાત-આઠ વર્ષમાં ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષણ વચ્ચેની ખાઈ ઘટી ગઈ છે. હવે સરકારી શાળાઓમાં પણ ખાનગી જેવુ શિક્ષણ છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા શુક્રવારે શિક્ષણના ક્ષેત્રમાં વધુ સારુ યોગદાન આપનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શ્રેષ્ઠતા પુરસ્કાર આપવામાં આવ્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ એવોર્ડ વિશે કહ્યુ કે અમે 2015થી બાળકો અને શિક્ષકોને આ અવોર્ડ આપી રહ્યા છીએ. ત્યારે તે એક નાનો છોડ હતો, હવે લોકોને આ અવોર્ડ મોટા મેડલ જેવો લાગે છે.
તેમણે વધુમાં કહ્યુ કે થોડા દિવસો પહેલા હું હવાઈ મુસાફરીમાં એક મહિલાને મળ્યો હતો. તેમણે ગર્વથી કહ્યુ કે તમે જે એક્સેલન્સ ઇન એજ્યુકેશન એવોર્ડ આપો છો, તે મને ગઈ વખતે મારી શાળા તરફથી મળ્યો હતો. તે આ વાત ખૂબ ગર્વથી કહી રહી હતી. તે સાંભળીને મને ખૂબ આનંદ થયો. અવોર્ડ સમારંભમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે શિક્ષણમાં ભેદભાવ નાબૂદ કરવાનુ કામ કર્યુ છે. અગાઉ દિલ્લીમાં બે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હતી, એક સરકારી શાળાની અને એક ખાનગી શાળાઓની. સરકારી શાળાઓમાં શિક્ષણ નબળુ હતુ, અહીં લોકો મજબૂરીમાં બાળકોને ભણાવતા હતા. છેલ્લા સાત-આઠ વર્ષમાં ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષણ વચ્ચેની ખાઈ ઘટી ગઈ છે. હવે સરકારી શાળાઓમાં પણ ખાનગી જેવુ શિક્ષણ છે. શ્રેષ્ઠતા પુરસ્કાર એ બંને શિક્ષણ પ્રણાલીનો સંગમ છે. આમાં બંને પ્રકારની શાળાઓનો સમાવેશ થાય છે. હવે કોઈ ભેદભાવ નથી.
સીએમ કેજરીવાલે કહ્યુ કે લગભગ 1800 MCD શાળાઓ છે, અમે તેને જલ્દી ઠીક કરવાનો પ્રયાસ શરૂ કરીશું. અમારુ સપનુ દિલ્લીને સમગ્ર વિશ્વ માટે શિક્ષણનુ કેન્દ્ર બનાવવાનુ છે. આજે અમે જ્યાં છીએ ત્યાં શિક્ષકો અને આચાર્યોએ ખૂબ જ મહેનત કરી છે. અમે વિવિધ કાર્યક્રમો કર્યા જેમાં દરેકે ભાગ લીધો. ખાસ કરીને પેટીએમ, ગરીબ લોકો કે જેમણે ક્યારેય શાળા જોઈ ન હતી તેમને જ્યારે શિક્ષકોએ બાળકો વિશે વાત કરવાનુ શરૂ કર્યુ તે તેમના માટે એક કલ્ચરલ શોક હતો. અત્યાર સુધીના પરિણામો સારા છે, અમે ચોક્કસ સફળ થઈશુ. શિક્ષકો અને આચાર્યએ શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે સખત મહેનત કરી છે. વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, તો જ બધુ સુધર્યુ. શાળામાં ક્યારેય ડોકિયું ન કરનાર ગરીબ રિક્ષાચાલકને જ્યારે પહેલીવાર પેટીએમ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તે વર્ગના માતા-પિતા માટે તે મોટી વાત હતી. હવે આશા છે કે અમે જે માર્ગ પર છીએ તે સાચો છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
