ચીનને ગૃહમંત્રીનો કડક સંદેશ- 'ભારતને કોઇ ધમકી ના આપી શકે'
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: અરૂણાચલ પ્રદેશમાં સીમા સડક બનાવવાની સરકારની યોજના પર ચીન તરફથી કડક પ્રતિક્રિયા આવવા પર ગૃહમંત્રી રાજનાથ સિંહે તેને એ કહેતા કડક સંદેશ આપ્યો છે કે કોઇ પણ ભારતને ચેતવણી ના આપી શકે. તેમણે હરિયાણાના માનેસરમાં એક કાર્યક્રમ હેઠળ પત્રકારોને જણાવ્યું કે આજે કોઇ પણ ભારતને ચેતવણી ના આપી શકે. આપણો દેશ ખૂબ જ મજબૂત છે.
આ પહેલા ચીને અરૂણાચલ પ્રદેશમાં મેકમોહન રેખાની સાથે રસ્તો બનાવવાની ભારતની યોજના પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેણે આશા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી સરહદ મુદ્દો ઉકેલાઇ ના જાય ત્યાં સુધી ભારત સ્થિતિને જટિલ બનાવવાની કોઇ કાર્યવાહી ના કરે.
ભારતે આ યોજના ચીનના તીબ્બતમાં સડક, રેલવે અને હવાઇ નેટવર્કના વિસ્તાર બાદ બનાવી છે. ચીને તિબ્બત ક્ષેત્રમાં પાંચ નવા એરપોર્ટ પણ તૈયાર કર્યા છે. એટલું જ નહીં, તેનું રેલ નેટવર્ક સિક્કમની સીમા સુધી પહોંચી ગયું છે.