રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાથી નથી ડરતા : અશ્વિની કુમાર

લોકસભા ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા અશ્વિનીકુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની કોઈપણ વ્યક્તિ નરેન્દ્ર મોદીથી ડરતી નથી અને ખાસ તો રાહુલ ગાંધી મોદીથી ડરતા નથી. તેમણે કહ્યું હતું કે રાહુલે પોતાની આદર્શ છબી ઘડી છે અને પક્ષને આદર્શ દીર્ઘદ્રષ્ટિ આપી છે. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી યોગ્ય સમય આવ્યે ગુજરાતમાં જશે અને ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેશે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આવવાની રાહુલ ગાંધીની ઈચ્છા નથી તેવા નરેન્દ્ર મોદીના આક્ષેપોના જવાબમાં અશ્વિની કુમારે કહ્યું હતું કે ભાજપે રાજકીય દેવાળુ ફૂંક્યું છે તેથી તેઓ અમારા નેતા ગુજરાતમાં જશે કે નહીં એ બાબતને મુદ્દાનો વિષય બનાવે છે.
તેમણે કહ્યું હતું કે અમે કોઈના ઉપર વ્યક્તિગત પ્રહાર કરતા નથી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત વિકસતું રાજ્ય હોવાનું કહેવાય છે પરંતુ ઘણી બધી બાબતોમાં ગુજરાત પછાત છે અને એ અંગેની હકીકતો પ્રજા સમક્ષ લાવવાની જરૂર છે.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
