IAS-IPS બનવું થયું અઘરું, અંગ્રેજી ફરજિયાત
યુપીએસસીની પરીક્ષા પાસ થનારા જ આઇએએસ, આઇપીએસ, આઇએફએશ અને આઇઆરએસ વગેરે બનીને દેશનું પ્રશાસન સંભાળતા હતા, પરંતુ આયોગે પરીક્ષા પદ્ધતિમાં 20 વર્ષ બાદ થોડાક પરિવર્તન કર્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિવસેનાએ મરાઠીની ઉપેક્ષાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કરી રહી છે. ગુરુવારે શિવસેનાને રાજ્યસભા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો છે.
પરીક્ષા પદ્ધતિમાં થયેલા પરિવર્તનને પ્રધાનમંત્રીએ તાજેતરમાં મંજૂરી આપી છે. ત્યારબાદ તમામ બદલાવો સાથે જોડાયેલી અધિસુચના જારી તઇ જેના આધારે 2013માં પરીક્ષા થશે. જેમાં અંગ્રેજીની પરીક્ષા અનિવાર્ય રહેશે. અંગ્રેજી પરીક્ષામાં મળનારા માર્કને મેરિટમાં ઉમેરવા આવશે, આ ઉપરાંત અન્ય કોઇ ભાષાના સાહિત્યને વૈકલ્પિક વિષય તરીકે એ જ લોકો પસંદ કરી શકશે, જેમણે એ વિષય બીએમાં ભળ્યો હોય. જૂના પાઠ્યક્રમમાં અંગ્રેજીની સાથોસાથ એક ભારતીય ભાષામાં ન્યૂનતમ અંક મેળવવા જરૂરી હતા, આ પરીક્ષાઓના માર્ક મેરિટમાં ઉમેરાતા નહોતા.
વિપક્ષે આ નિર્ણયને જનવિરોધી ગણાવ્યો છે. તેમણે ચેતવ્યા છે કે ભારતીય ભાષાઓની અવગણના કરવી સરકારને નડશે, પરંતુ સરકાર આ આરોપોને ખારીજ કરી રહી છે, આ નિર્ણય ભારતીય ભાષાની અવગણના માટે નથી.