સતત વરસાદથી છેલ્લા 3 દિવસમાં 134ના મોત, આ રાજ્યના 28 જિલ્લાઓમાં એલર્ટ
છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે દેશમાં 134 લોકોના મોત નીપજ્યા છે.
છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે દેશમાં 134 લોકોના મોત નીપજ્યા છે. આખા દેશમાં છેલ્લા ત્રણ દિવસની અંદર 134 લોકોના મૃત્યુ થઈ ગયા છે જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના લોકો છે. એકલા ઉત્તર પ્રદેશ અને બિહારમાં 127 લોકોના મોત થઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત છે. ઘણી ટ્રેનોના સંચાલનને રદ કરવુ પડ્યુ છે. લગભગ 22 ટ્રેનોને ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે.

સૌથી લાંબુ ચોમાસુ
ચોમાસાના કારણે થઈ રહેલા સતત વરસાદના કારણે લોકોનુ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. હવામાન વિભાગની માનીએ તો આગામી પાંચ દિવસો સુધી દેશમાં વરસાદ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ મોહપાત્રાએ રવિવારે જણાવ્યુ કે આ વર્ષે ચોમાસુ સામાન્યથી વધુ રહેશે. તે ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલુ રહેશે. વર્ષ 1960 બાદ આ પહેલી વાર છે જ્યારે ચોમાસુ ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ચોમાસુ સામાન્ય રીતે 1 જૂનથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી ખતમ થઈ જાય છે પરંતુ આ વખતે ચોમાસુ લગભગ બે સપ્તાહ વધુ રહેશે.

યુપીના હાલ બેહાલ
ઉત્તર પ્રદેશમાં અધિકૃત આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ઘટનાઓમાં વરસાદના કારણે 20 લોકોના મોત નીપજ્યા છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસોમાં મૃતકોનો આંકડો 93 સુધી પહોંચી ગયો છે. રાજ્યના હવામાન વિભાગ અનુસાર ગંગા નદીનુ પાણી સામાન્ય સ્તરથી વધુ છે. અહીં ગાજીપુર, બલિયા જિલ્લામાં ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યુ છે. જ્યારે કુઆનો નદી ગોંડા જિલ્લામાં ખતરાના નિશાનથી ઉપર છે. ઉત્તર પ્રદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશ્નર જીએસ પ્રિયદર્શીનીએ કહ્યુ કે 28 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.

બિહારમાં 23ના મોત
બિહારમાં વરસાદના કારણે 23 લોકોના મોત થઈ ગયા છે. પટના, ભાગલપુર, કૈમૂર જિલ્લા છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે. પટનામાં રવિવારે 152 મિલીમીટર વરસાદ થયો. સરકારી હોસ્પિટલ અને સરકારી બિલ્ડિંગ અને નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયુ છે. પૂર્વ ભારતમાં સતત વરસાદનો કહેર ચાલુ છે. અત્યાર સુધી ભારે વરસાદના કારણે કુલ 134 લોકોના મોત નીપજ્યા છે. મુખ્યમંત્રી નિતિશ કુમારે રવિવારે પૂર પ્રભાવિત જિલ્લાઓના ડીએમ સાથે બેઠક કરી અને સ્થિતિ વિશે માહિતી મેળવી સાથે જ તમામ અધિકારીઓને દરેક સંભવ રાહત અને મદદ પૂરી પાડવા માટે કહ્યુ.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
