Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિગ્વિજય સિંહ સામે બિનજામીન પાત્ર વોરંટ જારી

digvijay singh
ઉજ્જૈન, 3 એપ્રિલ: ઉજ્જૈનની એક કોર્ટમાં કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ અને સાંસદ પ્રેમચંદ્રા ગૂડ્ડૂની સામે આજે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ફરિયાદી પક્ષ અનુસાર 17 જુલાઇ 2011ના રોજ ઉજ્જૈનમાં ભારતીય જનતા યુવા મોર્ચા તથા કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ જીવાજીગંજ પોલીસસ્ટેશનમાં જયસિંહ, અનંત નારાયણ મીણા, મુકેશ ભાટી, અમરલાલ આદીની સામે વિભિન્ન ધારાઓ અંતર્ગત કેસ દાખલ થયો હતો.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ સત્તા તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, કે આ મામલામાં દિગ્વિજય સિંહ, પ્રેમચંન્દ્ર ગૂડ્ડૂ, હેમંત ચૌહાણ, તથા દિલીપ ચૌધરીને પણ આરોપી બનાવવામાં આવે.

ઉજ્જૈન દશમાં અધિક સત્ર ન્યાયાધિશ દીપેશ તિવારીની કોર્યમાં સત્તાપક્ષની અરજી સ્વીકાર કરતા ઉપરોક્ત ચારેયને સમન્સ જારી કર્યા હતા. આ મામલાની પાછલી સુનવણીમાં હેમંત અને દિલીપે જામીન લીધા હતા, જ્યારે દિગ્વિજય અને પ્રેમચંદ્ર તરફથી આ મામલે વ્યક્તિગતરૂપે હાજર રહેવાથી છૂટ આપવા અંગે અરજી કરી હતી.

આ મામલાની આજે થયેલી સુનવણીમાં કોર્ટે તેમની અરજી સ્વીકાર કરી સિંહ અને ગૂડ્ડૂની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરી દીધું અને સુનવણી માટે 30 એપ્રિલની તારીખ નિર્ધારીત કરી છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X