ટુલ કીટ મામલો આરોપી નિકીતા જેકબ અને શાંતનુ ફરાર, બન્ને વિરૂદ્ધ બિન જામિનપાત્ર વોરંંટ જારી
પ્રજાસત્તાક દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર થઇ ગયુ હતું. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના લાલ કિલ્લા, આઇટીઓ સહિત અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ ઘટના બાદ અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. તે દરમિયાન ટૂલકીટનો મામલો બહાર
પ્રજાસત્તાક દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર થઇ ગયુ હતું. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના લાલ કિલ્લા, આઇટીઓ સહિત અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ ઘટના બાદ અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. તે દરમિયાન ટૂલકીટનો મામલો બહાર આવ્યો. દિલ્હી પોલીસના કહેવા મુજબ હિંસામાં આ ટૂલકિટની સૌથી મોટી ભૂમિકા હતી. જેના કારણે આ કેસમાં ધરપકડની સિલસિલો શરૂ થઈ ગઈ છે. હવે દિલ્હી પોલીસે આ કેસમાં બંને આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
ખરેખર, દિલ્હી પોલીસના સાયબર સેલે 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. આ પછી ટૂલકીટ કેસમાં બે આરોપી નિકિતા જેકબ અને શાંતનુ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. બંને આરોપી ફરાર છે.
આ પણ વાંચો: સંજય રાઉતે સાધ્યું બીએસ કોશ્યારી પર નિશાન, કહ્યું - કેન્દ્રના દબાવમાં આવી કરી રહ્યાં છે કામ