કુખ્યાત આરોપી અંકિત ગુર્જરની તિહાડ જેલમાંથી લાશ મળી, હત્યાની આશંકા!
રાજધાની દિલ્હીની તિહાડ જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. બુધવારે કુખ્યાત ગેંગસ્ટર અંકિત ગુર્જરનો મૃતદેહ તિહાડની બેરેક નંબર 3 મા્થી મળ્યો છે. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું
રાજધાની દિલ્હીની તિહાડ જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. બુધવારે કુખ્યાત ગેંગસ્ટર અંકિત ગુર્જરનો મૃતદેહ તિહાડની બેરેક નંબર 3 મા્થી મળ્યો છે. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેલમાં કેદીઓ વચ્ચેની ગેંગ વોરમાં તેનું મોત થયું છે. તપાસ એજન્સીઓતેની તપાસ કરી રહી છે.
તિહાડ જેલના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે અંકિત ગુર્જરનો મૃતદેહ મળી આવ્યો છે. અંકિત ગુર્જર એક એવું નામ હતું જે દિલ્હી અને આસપાસના રાજ્યોની પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયું હતું. તેની સામે ઉત્તર પ્રદેશમાં હત્યાના 8 કેસ નોંધાયેલા છે. આ સિવાય તેના પર લૂંટના ઘણા કેસ હતા. યુપી પોલીસે અંકિત ગુર્જર પર 1 લાખ રૂપિયા અને દિલ્હી પોલીસ દ્વારા 25,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરાઈ હતી.
તમને જણાવી દઈએ કે અંકિત ગુર્જરની યુપી પોલીસે વર્ષ 2015 માં ધરપકડ કરી હતી, પરંતુ 2019 માં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી અંકિત ગુર્જરે દિલ્હીમાં પોતાની ગેંગ બનાવી અને ગુનાઓ કરવા લાગ્યો. પશ્ચિમ ઉત્તરપ્રદેશના બાગપતનો રહેવાસી અંકિત દિલ્હીમાં ચૌધરી-ગુર્જર ગેંગ સાથે અન્ય ગેંગસ્ટર રોહિત ચૌધરી સાથે કામ કરતો હતો. આ બંને દક્ષિણ દિલ્હીમાં પોતાનું નેટવર્ક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં અંકિતની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ચૌધરી-ગુર્જર ગેંગ દક્ષિણ દિલ્હીમાં ઘણી હદે ફેલાઈ હતી. આ ગેંગમાં ઘણા ગુનેગારો હતા. આ ગેંગના સભ્યો રોહિત ચૌધરી અને અંકિત ગુર્જર રાજસ્થાનના નીમરાણામાં રહેતા હતા.
તિહાડ જેલમાં અંકિતના મોતની તપાસ મહત્વની છે, કારણ કે દિલ્હી હાઈકોર્ટે 14 મેના રોજ તિહાડ જેલમાં શ્રીકાંત રામા સ્વામી નામના કેદીની હત્યાની CBI તપાસનો આદેશ આપ્યો હતો. શ્રીકાંત રામા સ્વામી 14 મે 2002 ના રોજ તિહાડ જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.