For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બીજેપીની દિવાળી મિલન કાર્યક્રમમાં મોદીને લોકોએ ધેરી લીધા

બીજેપીની દિવાળી મિલન કાર્યક્રમમાં મોદીને લોકોએ ધેરી લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત દિવાળી મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધિત કર્યું અને વાતચીત પણ કરી. પણ સમારંભ બાદ પત્રકારોએ વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી ખેંચવા માટે તેમને ધેરી લીધા હતા.

મોદી જીએસટી બિલ મામલે સોનિયા અને મનમોહનને મળ્યા

મોદી જીએસટી બિલ મામલે સોનિયા અને મનમોહનને મળ્યા

વડાપ્રધાનના આવાસ સ્થાને પીએમ મોદીએ ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ જોડે જીએસટી બિલ પાસ કરાવા મામલે વાતચીત કરી હતી. લગભગ 45 મિનિટ ચાલેલી આ વાતચીતમાં વેંકૈયા નાયડૂ અને નાણામંત્રી અરુણ જેટલી પણ હાજર રહ્યા હતા. ત્યારે બેઠક બાદ જેટલી કહ્યું કે ચર્ચાનો દૌર ચાલુ છે અમે અમારી તરફ પ્રયાસ કરીશું.

સંવિધાનની ચર્ચા દરમિયાન ભાવુક થયા મોદી

સંવિધાનની ચર્ચા દરમિયાન ભાવુક થયા મોદી

શુક્રવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં સંવિધાન મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તે ભાવુક થઇ ગયા. અને તેમણે કેટલાક મહત્વના મુદ્દા પણ કહ્યા તેમણે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે ખુદ ઝેરપીને રાષ્ટ્ર માટે અમૃત છોડીને ગયા છે. તેમણે કહ્યું કે ભાતર જેવા માટે દેશ માટે સંવિધાન બનાવવું બહુ મોટું કામ છે. અને સવિધાન જ સર્વોચ્ચ કાનૂનોનું કાનૂન છે.

દિલ્હીમાં જનલોકપાલ મામલે અંદર અંદર વિવાદ

દિલ્હીમાં જનલોકપાલ મામલે અંદર અંદર વિવાદ

કુમાર વિશ્વાસે જ્યારે કહ્યું કે જનલોકપાલ બિલ તેવું હોવું જોઇએ જે રામલીલા મેદાનમાં તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં જરા પણ બદલાવ ના આવવો જોઇએ તે પર આશુતોષ ટ્વિટ કરીને કહ્યું કે કેજરીવાલની આલોચન કરવા માટે આટલી જલ્દી કેમ હોય છે? ક્યારેક મોદી અને ભાજપની પણ આલોચના કરી લો?

English summary
November 28: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X