Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે રેલવે મુસાફરી કર્યા બાદ ફરિયાદ નોંધાવી શકાશે

indian-railway
નવી દિલ્હી, 27 જુલાઇ : પશ્ચિમ રેલવેએ મુસાફરોને એમની સફર દરમિયાન કે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની અસુવિધા થાય તો એમનાં હિતને ધ્યાનમાં રાખીને પગલાં લીધા છે. મુસાફર સ્ટેશન પર અને ટ્રેનની અંદર ફરિયાદ પુસ્તિકામાં તેની ફરિયાદ કરી શકશે અથવા ફોન ઉપર પણ ફરિયાદ કરી શકશે. એટલું જ નહીં, સફર પૂરી થઈ ગયા બાદ પણ એ પોતાની ફરિયાદ નોંધાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘણીવાર જુદા જુદા કારણોસર મુસાફરોને સ્ટેશન પર કે સફર દરમિયાન ટ્રેનમાં અમુક સુવિધાઓ મળતી નથી. હવે એની ફરિયાદ સ્વીકારવા માટેના પગલાં લેવામાં આવ્યા છે. મુસાફરો તેમની ફરિયાદ હવે એમની સફર પૂરી થઈ ગયા બાદ પણ કરી શકશે. રેલવે તંત્રે આ માટે એક વિશેષ સેલ બનાવ્યો છે.

મુસાફરો ચાલતી ટ્રેનમાં કોઈ ફરિયાદ હોય તો ફરજ પર હાજર રહેલા ટિકિટ ચેકર કે ટ્રેનના ગાર્ડ પાસે ઉપલબ્ધ ફરિયાદ પુસ્તિકામાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદ પુસ્તિકા ટિકિટ ચેકર કે ગાર્ડે મુખ્યાલયમાં જમા કરાવવી પડતી હોય છે, જે રેલવે બોર્ડને મોકલવામાં આવે છે. ત્યારબાદ તેમાંની ફરિયાદો પર સંબંધિત સ્તરે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે.

મુસાફરો તાત્કાલિક સમાધાન માટે પોતાની ફરિયાદ એસએમએસ દ્વારા મુખ્યાલય અધિકારીઓને પણ આપી શકે છે. રેલવે બોર્ડે આ નવી વ્યવસ્થામાં પ્રત્યેક ઝોન અંતર્ગત આવતા તમામ ડિવિઝન માટે અલગ અલગ મોબાઈલ નંબરો આપ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X