For Quick Alerts
For Daily Alerts
હવે જ્ઞાનપીઠ પુરસ્કારમાં રૂ. 11 લાખની રાશિ અપાશે
પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ કૃતિ 'ઓટક્કુષલ' માટે સાહિત્યકાર ગોવિંદ શંકર કુરૂપને આપવામાં આવ્યો હતો. પ્રારંભમાં નાનકડી રકમ સાથે શરૂ કરવામાં આવેલો પુરસ્કાર સમય જતાં રૂપિયા 5 લાખ અને છેલ્લે રૂ. સાત લાખ થઇ ગયો હતો.
બેલગામમાં 46મો જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ લેખક ચંદ્રશેખર કંબરને આપતા સમયે પોતાના ભાષણમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વ્યવસ્થાપનના ટ્રસ્ટી આલોક જૈને જણાવ્યું કે આવતા વર્ષે આ પુરસ્કારની રકમ વધારીને રૂપિયા 11 લાખ કરવામાં આવશે.
બીજી મહત્વની બાબત એ છે કે ટાઇ થતા અગાઉની જેમ પુરસ્કારની રકમ અડધી અડધી આપવાને બદલે બંને પુરસ્કાર વિજેતાઓને પૂરેપૂરી રકમ આપવામાં આવશે. ભારતીય ભાષાઓ માટે આપવામાં આવતો સાહિત્યિક પુરસ્કાર ભારતમાં સૌથી વધારે રકમવાળો પુરસ્કાર બન્યો છે.
English summary
India's highest literary honor Jnanpith Award of seven lakh as the amount has been increased to Rs 11 lakh.