હવે આવી ગાડીઓ ભંગારમાં જશે, સરકાર લાવી રહી છે પોલિસી
સરકાર તરફથી પ્રદૂષણ નિવારણ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકાર ગંભીર છે અને તેને રોકવા માટે વિચારણ તેમજ નીતિઓ લાવી રહી છે.
સરકાર તરફથી પ્રદૂષણ નિવારણ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકાર ગંભીર છે અને તેને રોકવા માટે વિચારણ તેમજ નીતિઓ લાવી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 15 વર્ષથી જૂના સરકારી વાહનોને રિન્યુ ન કરવાનો પ્રસ્તાવનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. સરકાર આ પોલિસી 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, નિગમ અને પરિવહન વિભાગની બસો અને વાહનો માટે 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવા ફરજિયાત રહેશે. સરકાર 30 દિવસમાં સૂચનો માંગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને નીતિન ગડકરીએ કેન્દ્ર સરકાર હેઠળના 15 વર્ષથી જૂના તમામ વાહનોને રોડ પરથી હટાવવા માટે જણાવ્યું છે.
શુક્રવારના રોજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ નીતિ રાજ્યોને પણ મોકલી દેવામાં આવી છે અને તેમને 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોને રસ્તા પરથી હટાવવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. આગામી સમયમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
અત્રે નોંધનીય છે કે, સરકારે આ નિયમ પહેલાથી જ લાગુ કરી દીધો છે, જે અંતર્ગત રાજધાની દિલ્હી અને એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વાહનોને તેમની મુદ્દત પૂરી થયા બાદ ભંગારમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
