દિલ્હી સરકારનું અધિકારીઓને ફરમાન, મંત્રીની મંજુરી વિના કોઈ પણ આદેશ ન આપે
દિલ્હી સરકાર અને એલજી વચ્ચેની જંગમાં સુપ્રીમ કોર્ટે એલજીને લતાડીને હવે અધિકારીઓની ફેરબદલ અને ટ્રાન્સફરની સત્તાઓ દિલ્હી સરકારને આપી છે. આ સત્તા હાથમાં આવ્યા બાદ હવે દિલ્હીની કેજરીવાલ સરકાર એક્શનમાં જોવો મળી રહી છે.
દિલ્હી સરકારને સૌથી વધુ પરેશાન કરનાર એલજીને હટાવીને સુપ્રીમ કોર્ટે તમામ સત્તા ચુંટેલી સરકારને આપી દીધી છે. આ સત્તા હાથમાં આવતા જ હવે દિલ્હી સરકારે અધિકારીઓને આદેશ જારી કર્યા છે.

દિલ્હી સરકારે આદેશ જારી કરીને મુખ્ય સચિવ અને સેવા સચિવને તમામ કેટેગરીના કર્મચારીઓના સંદર્ભમાં આદેશો પસાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે તમામ અધિકારીઓને મંત્રી પાસેથી મંજૂરી લેવી ફરજિયાત બનાવી દીધી છે.
દિલ્હી સરકારે આદેશ જારી કરીને કહ્યું કે, મુખ્ય સચિવ અને સેવા સચિવને કર્મચારીઓની તમામ શ્રેણીઓના સંદર્ભમાં આદેશો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કર્મચારીઓને લગતા આદેશો પસાર કરવા માટે દિલ્હી સેવા મંત્રીની મંજૂરી લેવી જરૂરી બનાવી દેવામાં આવી છે.
દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે નિર્દેશ આપ્યો કે, મંત્રીના આદેશ વિના મુખ્ય સચિવ, સેવા સચિવ અથવા સેવા વિભાગ દ્વારા કર્મચારીઓની કોઈપણ શ્રેણી માટે કોઈ આદેશ પસાર કરી શકશે નહીં.
અહીં તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે હાલમાં જ આ બાબતે તમામ અધિકારો દિલ્હી સરકારને આપ્યા છે. એલજી અને દિલ્હી સરકારની લડાઈમાં આમ આદમી પાર્ટીની સરકારી આ મોટી જીત છે.












Click it and Unblock the Notifications
