Vande Mataram New Rule: હવે 'જન ગણ મન' પહેલાં વાગશે ‘વંદે માતરમ્’, શું છે કેન્દ્ર સરકારનો નવો નિયમ?
Vande Mataram New Rule: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે 28 જાન્યુઆરીએ નિર્દેશ આપ્યો કે છ અંતરાવાળું, 3 મિનિટ 10 સેકન્ડનું અધિકૃત 'વંદે માતરમ્' સંસ્કરણ હવે ઘણા સરકારી અને બંધારણીય કાર્યક્રમોમાં વગાડાશે કે ગાવામાં આવશે. આદેશની નકલો તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને બંધારણીય સંસ્થાઓને મોકલવામાં આવી છે.

ગૃહ મંત્રાલયના પ્રોટોકોલ મુજબ, તિરંગો ફરકાવતી વખતે, રાષ્ટ્રપતિના કાર્યક્રમોમાં આગમન-પ્રસ્થાન પર, તેમના રાષ્ટ્રજોગ સંબોધન પહેલાં-પછી, તેમજ રાજ્યપાલ કે ઉપરાજ્યપાલના સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમ્ વગાડવામાં આવશે. આ ઉપરાંત, નાગરિક સન્માન સમારોહ અને અન્ય સરકારી આયોજનોમાં પણ તેનો ઉપયોગ થશે.
આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન 'જન ગણ મન' બંને હોય, તો પહેલા વંદે માતરમ્ અને પછી રાષ્ટ્રગાન વગાડાશે. આ દરમિયાન શ્રોતાઓએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત છે. જોકે, મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે જો વંદે માતરમ્ કોઈ ડોક્યુમેન્ટરી કે ન્યૂઝરીલનો ભાગ હોય, તો અવ્યવસ્થા ટાળવા માટે દર્શકો પાસેથી ઊભા રહેવાની અપેક્ષા નથી રખાતી.
ગૃહ મંત્રાલયે વંદે માતરમ્ના ઉપયોગને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કર્યો છે. જેમાં 'ફક્ત વગાડવાના' પ્રસંગો (જેમ કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના ઔપચારિક કાર્યક્રમો કે રાષ્ટ્રીય ધ્વજ પરેડમાં લાવવામાં આવે ત્યારે), 'વગાડવાની સાથે સામૂહિક ગાન' (જેમ કે તિરંગો ફરકાવવા કે સાંસ્કૃતિક સમારોહ) અને 'ગાવામાં આવી શકે' તેવા પ્રસંગો (જેમાં શાળાઓના કાર્યક્રમો કે મંત્રીઓ/મહાનુભાવોની હાજરીવાળા આયોજનો)નો સમાવેશ થાય છે.
આદેશ મુજબ, શાળાઓમાં દિવસની શરૂઆત સામૂહિક 'વંદે માતરમ્' ગાનથી થઈ શકે છે. શાળા સંચાલકોને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વધારવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે.
'વંદે માતરમ્'ની રચના 1870ના દાયકામાં પ્રખ્યાત સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતનિષ્ઠ બંગાળી ભાષામાં કરી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ ગીત માતૃભૂમિની આરાધનાનું પ્રતીક બન્યું હતું. વર્ષ 1950માં તેના પ્રથમ બે અંતરાઓને ભારતનું રાષ્ટ્રીય ગીત અપનાવાયા.
અગાઉ રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ નિયમો હોવા છતાં, વંદે માતરમ્ માટે કોઈ વિસ્તૃત સત્તાવાર પ્રોટોકોલ ન હતો. આ પ્રથમ વખત છે કે તેના વિસ્તૃત છ અંતરાવાળા સંસ્કરણને સત્તાવાર આયોજનોમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી રહ્યું છે, જે તેના ગૌરવપૂર્ણ ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
