નોકરાણી સાથે બળાત્કારના આરોપમાં ફસાયા વધુ એક આપ નેતા
આમ આદમી પાર્ટીની મુસીબતો પુરી થવુંનું નામ જ નથી. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારના સેક્સ સ્કેન્ડલથી પાર્ટી હજુ બહાર આવી જ ના હતી. ત્યાં જ પંજાબમાં એક આમ આદમી પાર્ટીના નેતા પર નોકરાણી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. આ બળાત્કારનો આરોપ બીજા કોઈએ નહીં પરંતુ પાર્ટીના કાર્યકર્તાએ જ લગાવ્યો છે.
પાર્ટી ઓબ્જેર્વર વિજય ચૌહાણ પર બળાત્કારનો આરોપ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પ્રેસ કોન્ફ્રન્સમાં પાર્ટી ઓબ્જેર્વર વિજય ચૌહાણ પર નોકરાણી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે વિજય ચૌહાણે બળાત્કાર કર્યા પછી નોકરાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દિલ્હીની આગ પહોંચી પંજાબ સુધી
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારના સેક્સ સ્કેન્ડલથી પાર્ટી હજુ થી બહાર આવી જ ના હતી. ત્યાં જ પંજાબમાં એક આમ આદમી પાર્ટીના નેતા પર નોકરાણી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો.
પંજાબમાં સુચ્ચાં સિંહના કારણે મુસીબતમાં ફસાઈ હતી આપ.
પંજાબમાં પૂર્વ પાર્ટી સંયોજક સુચ્ચાં સિંહ છોટેપૂર પર ટિકિટ વેચવાનો આરોપના કારણે આપમાં ખુબ જ બબાલ મચી હતી. પાર્ટીએ સુચ્ચાં સિંહને છોટે પૂરમાં પદથી હટાવી દીધો હતો.
પાર્ટી વિધાયકે લગાવ્યો આપ નેતા પર યૌનશોષણનો આરોપ
પાર્ટી વિધાયક દેવેન્દ્ર સહરાવતે હાલમાં જ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ટિકિટના બદલે મહિલાઓનું યૌનશોષણ કરવાનો પંજાબના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યો હતો.