રામ રહીમ પર વધુ એક કેસ, જેલમાં પુછપરછ કરશે પંજાબ પોલીસ
બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમની મુશ્કેલીઓ વધી રહી છે. હવે ફરીદકોટ અપવિત્ર કેસની તપાસ માટે પંજાબ પોલીસ રામ રહીમની પૂછપરછ કરશે. આ માટે પંજાબ પોલીસ હરિયાણાની સુનારિયા
બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમની મુશ્કેલીઓ વધી રહી છે. હવે ફરીદકોટ અપવિત્ર કેસની તપાસ માટે પંજાબ પોલીસ રામ રહીમની પૂછપરછ કરશે. આ માટે પંજાબ પોલીસ હરિયાણાની સુનારિયા જેલમાં આવશે, જ્યાં 8 નવેમ્બરે તેમની પૂછપરછ કરવામાં આવશે. વાસ્તવમાં રામ રહીમ પર ફરીદકોટમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનો મામલો સામે આવ્યો છે.

SIT સુનારિયા જેલમાં આવશે
આ મામલો પંજાબ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસે છે અને આ ટીમે રામ રહીમની પૂછપરછ કરવા માટે પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. જેમાં 100 જેટલા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, SIT રામ રહીમને અપમાન કેસમાં ફરાર ડેરાની રાષ્ટ્રીય સમિતિના ત્રણ સભ્યોના ઠેકાણા અંગે પણ પૂછપરછ કરશે. આ માટે SITની ટીમ હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં આવશે. અગાઉ ફરીદકોટ કોર્ટ દ્વારા પ્રોડક્શન વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જેમાં SITએ રામ રહીમને પંજાબ લાવીને પૂછપરછ કરવાની હતી, પરંતુ રામ રહીમના વકીલ હાઈકોર્ટમાં ગયા હતા. ત્યારબાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. આ પછી SITને પૂછપરછ માટે સુનારિયા જેલમાં જવાનું કહેવામાં આવ્યું છે.

ગયા મહિને રણજીત સિંહ હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા
રામ રહીમ સિંહને ઓક્ટોબરમાં રણજીત સિંહ હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ સીબીઆઈની વિશેષ અદાલતે રામ રહીમ સહિત 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઢોંગી બાબા પર 31 લાખ અને બાકીના આરોપીઓ પર 50-50 હજારનો દંડ પણ લગાવ્યો છે. મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાને કારણે, વહીવટીતંત્રે તે દિવસે ચુકાદો આવે તે પહેલા જ પંચકુલા જિલ્લામાં કલમ-144 લાગુ કરી દીધી હતી. પોલીસ તપાસ અનુસાર 10 જુલાઈ 2002ના રોજ ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં હરિયાણા પોલીસે આ મામલાની તપાસ કરી હતી, પરંતુ બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ મામલામાં દલીલો 12 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. ઉપરાંત ઓક્ટોબરની શરૂઆતમાં કોર્ટે રામ રહીમ સહિત 5 લોકોને દોષિત ઠેરવ્યા હતા. આ પછી, 18 ઓક્ટોબર, 2021 ના રોજ, સીબીઆઈની વિશેષ અદાલતે આ મામલામાં વિગતવાર નિર્ણય સંભળાવ્યો. જે અંતર્ગત રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

છોકરીઓ પર બળાત્કાર કરતો હતો
રામ રહીમ પર ઘણા કેસ ચાલી રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચિત કિસ્સો શિષ્યો પર બળાત્કારનો હતો. આરોપ છે કે તેણે ગુફામાં શિષ્યો પર બળાત્કાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. રામ રહીમ હાલમાં આવા જ એક કેસમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન સીબીઆઈએ તેના માટે મૃત્યુદંડની માંગણી કરી હતી, પરંતુ ત્યારબાદ રામ રહીમે એક નવું પગલું ભર્યું અને બીમારીનું કારણ આપીને કોર્ટ પાસે દયાની અરજી કરી. રામ રહીમનું કહેવું છે કે તે બ્લડ પ્રેશર, આંખ અને કિડનીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. આ સ્થિતિમાં તેને છોડી દેવો જોઈએ. તેની સુનાવણી દરમિયાન તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોહતક જેલમાંથી કોર્ટમાં હાજર કરાયો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
