મહારાષ્ટ્રમાં એક હજાર કિલો કરતા પણ વધારે ગૌમાંસ પકડાયું
મહારાષ્ટ્રના અહમદનગરમાં કુરેશી મલા વિસ્તારમાં 1 હજાર કિલો કરતા પણ વધારે ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના અહમદનગરમાં કુરેશી મલા વિસ્તારમાં 1 હજાર કિલો કરતા પણ વધારે ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. સ્થાનિક અપરાધ અન્વેષણ વિભાગે આ કાર્યવાહી બુધવારે રાત્રે કર્જત તહેસીલના સાતપુર ગામ પાસે અંઝામ આપી. આ કાર્યવાહીમાં બે ટેમ્પો અને જીવતી ગાય-બળદ મળી આવ્યા. કુલ 8.38 લાખ રૂપિયાની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગૌરક્ષા માટે યોગી સરકાર હવે 0.5 ટકા ટેક્સ વસૂલ કરશે
1300 કિલો ગૌમાંસ મળ્યું
પોલીસ ઘ્વારા મળેલી જાણકારી અનુસાર સિપાહીઓને ગુપ્ત સૂત્રો ઘ્વારા ગૌમાંસ રાખવાની જાણકારી મળી હતી. ત્યારપછી છાપો માર્યા પછી 1300 કિલો ગૌમાંસ મળ્યું. આ મામલે મોહમ્મદ કુરેશી અને મોહસીન કુરેશી નામના બે લોકોની ધરપકડ કરી છે. તેની સાથે સાથે આ મામલામાં 10 અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે જાંચ કરી રહી છે.
કસ્બામાં હડકંપ મચ્યો
ગૌમાંસનો આટલો મોટો જથ્થો મળી આવવાને કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કર્જતમાં આ ઘટનાની જાણકારી આગની માફક ફેલાઈ ગઈ. ગૌમાંસ રાખવાના આરોપમાં પકડવામાં આવેલા લોકોની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં ગાય નહીં મારી શકાય
મહારાષ્ટ્ર્રમાં ગાયનું માસ રાખવું અને વેચવું કાનૂની અપરાધ છે. વર્ષ 2015 દરમિયાન તેના પર કાનૂન પણ લાવવામાં આવ્યો છે. કાનૂન જયારે બન્યો ત્યારે રાજનીતિથી લઈને સોશ્યિલ મીડિયા સુધી સરકારના વખાણ થવા લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે આ મામલે આરોપીઓને 5 વર્ષની જેલની સજાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે.