Atiq Ahmed: UPના મંત્રીનો દાવો, વિપક્ષે કરાવી અતીક અહેમદની હત્યા, કરવાનો હતો મોટા ખુલાસા

Atiq Ahmed: યૂપીના મંત્રીએ દાવો કર્યે કે, વિરોધ પક્ષે અતીકની હત્યા કરાવી છે. તે ઘણા મોટા ખુલાસા કરવાનો હતો. ઉત્તર પ્રદેશના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મપાલ સિહે અતીક અહમદની હત્યા પર મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે, અહમદ અને તેના ભાઇ અશરફ અહમદે હત્યા પાછળ વિપક્ષ છે. કેમ કે, તે ઘણા મોટા લોકોના રાજ ખોલનાર હતો.

up minister

ધર્માલે કહ્યુ કે, સત્ય એ છે કે, અતીક અહમદની હત્યા પાછળ વિપક્ષ છે. તેની ધરપકડ તે ઘણા રાજ ખોલનાર હતો. એટલા માટે જ વિપક્ષે તેની હત્યા કરાવી દિધી હતી. જણાવી દઇએ કે, ગયા અઠવાડીયે અતીક અને તેના ભાઇ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી.

અતીક અહમદ 2005 માં બસપાના ધારાસભ્ય રાજુપાલની હત્યાનો આરોપ હતો. આ સિવાય રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ઉમેશ પાલની હત્યાનો પણ તેના પર આરોપ હતો. જણાવી દઇએ કે, જે જગ્યાએ અતીકના હત્યારા રોકાયા હતા. તે હોટેલમાં પોલીસ તપાસ માટે પહોચી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ન્યાયિક તપાસ કમિટિ પ્રયાગરાજ પહોચી જ્યા અતીકની હત્યા થઇ હતી. સમગ્ર ઘટનાને રિક્રિએટ કરવામાં આવી . 15 એપ્રિલે જ્યારે અતિક અને અશરફને મેડિકલ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે ત્રણ શૂટર્સે તેના પર હુમલો કરીને હત્યા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X