અમારૂ ધનુષ-બાણ ચોરી થયુ છે, ચોરીનો ઘટસ્ફોટ કરીશું-સંજય રાઉત
અહીં સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પર બીજેપી વોટ માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. હવે તેઓ મત માટે બાળાસાહેબના નામનો ઉપયોગ કરશે. આ માટે તેઓએ અમારૂ ધનુષ અને બાણ ચોરી લીધું છે.
નવી દિલ્હી : શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ એકનાથસિંદે જુથને સોંપાતા હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે અને ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સતત બીજેપી પર પ્રહારો કરી કર્યા છે. હવે સંજય રાઉતનું નિવેદન સામે આવ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે, અમારૂ ધનુષ અને બાણ' ચોરાઈ ગયા છે. આ ચોરીમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે. અમે સરગનાને શોધી કાઢીશું અને તેને લોકો સમક્ષ લાવીશું. સંજય રાઉતે કહ્યું કે અમને નવી પાર્ટીનું સિમ્બોલ તો પછી મળશે પરંતુ તે પહેલા અમે આ ચોરોનો પર્દાફાશ કરીશું.

અહીં સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પર બીજેપી વોટ માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. હવે તેઓ મત માટે બાળાસાહેબના નામનો ઉપયોગ કરશે. આ માટે તેઓએ અમારૂ ધનુષ અને બાણ ચોરી લીધું છે. શિવસેના કોઈ સામાન્ય પક્ષ નથી, અમે હંમેશા સાથે રહીશું અને ભવિષ્યમાં ફરી સત્તામાં આવીશું.
અહીં તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વપૂર્ણ નિર્ણય આપતાં ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથના નેતૃત્વવાળી શિવસેનાને ધનુષ અને બાણનું ચિહ્ન ફાળવ્યું છે. એકનાથ શિંદેએ અગાઉની મહારાષ્ટ્ર સરકાર સામે બળવો કરીને સત્તા કબજે કરી હતી. હવે શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને શિવસેનાનું નામ પણ મેળવવામાં સફળ થયા છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે.












Click it and Unblock the Notifications
