અમારી ધીરજને નબળાઇ ના સમજે પાકિસ્તાન: એ.કે એન્ટની
અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય જવાનો પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોના મોત થઇ ગયા હતા. ભારતીય સેના અનુસાર ભારે માત્રામાં હથિયારોથી સજ્જ પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદીઓ સાથે મળીને હુમલો કર્યો. ભારતીય સેનાનું કહેવું છે કે 15-20 આતંકવાદી હતા, જેમને પાકિસ્તાની સેનાનો સાથ મળેલો હતો.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે 'અમારા વિસ્તારમાં લગભગ 450 મીટર અંદર ગોળીબાર થયો જેમાં 21 બિહાર રેઝિમેન્ટના પાંચ જવાન ઘાયલ થયા છે.' જ્યારે પાકિસ્તાને આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કરતા જણાવ્યું કે આ આરોપ અર્થ વિહોણા છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 'અમે યુદ્ધ વિરામ પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ અને ભારતની સાથે શાંતિ વાર્તા તુરંત શરૂ કરવા માંગીએ છીએ. અમે સેના પાસે ખરાઇ કરાવી છે કે આવો કોઇ હુમલો કરવામાં નથી આવ્યો. '