દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, માત્ર 5 દિવસમાં 1 લાખ કેસ વધ્યા
દેશમાં કોરોનાનો કહેર હવે ચરમ પર પહોંચી ગયો છે. માત્ર પાંચ દિવસમાં રેકોર્ડ એક લાખ સંક્રમિતની સંખ્યા સાથે સંક્રમણનો આંકડો 6 લાખને પાર થઈ ગયો છે.
દેશમાં કોરોનાનો કહેર હવે ચરમ પર પહોંચી ગયો છે. માત્ર પાંચ દિવસમાં રેકોર્ડ એક લાખ સંક્રમિતની સંખ્યા સાથે સંક્રમણનો આંકડો 6 લાખને પાર થઈ ગયો છે. મરનારની સંખ્યા 17 હજારથી વધુ થઈ ચૂકી છે. કોવિડ-19 ઈન્ડિયા ડૉટ ઓઆરજી અનુસાર બુધવારે રાતે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ. દેશમાં અત્યાર સુધી 601,952 કોરોના કેસ નોંધવામાં આવી ચૂક્યા છે જેમાં 357,612 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જો કે આમાંથી 17,785 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 2,26,489 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ
વાત માત્ર જો રાજધાની દિલ્લીની કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2442 નવા કેસ સામે આવ્યા જ્યાંથી અહીં કુલ કેસ 89,802 થઈ ગયા. વળી, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ નોંધવામાં આવ્યા છે. 26 જૂને સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર થઈ હતી. દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ એટલે કે 10મેના રોજ આ સંખ્યા વધીને એક લાખ થઈ. ફરીથી સંક્રમણની ઝડપમાં એટલો વધારો થઈ ગયો કે માત્ર 15 દિવસમાં જ આંકડો 2 લાખને પાર થઈ ગયો.

દુનિયાનો ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ થઈ જશે
ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ થવામાં માત્ર 10 દિવસ લાગ્યા. 3થી 4 લાખ કેસ થવામાં 8 દિવસ અને 4થી 5 લાખ કેસ થવામાં 6 દિવસ લાગ્યા. હવે 5થી 6 લાખ કેસ થવામાં માત્ર 5 દિવસ લાગ્યા. એટલે કે હવે દર 5 દિવસમાં એક લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જો આ જ ગતિ રહી તો આગલા ત્રણથી ચાર દિવસોમાં ભારત, રશિયાને પાછળ છોડીને દુનિયાનો ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ થઈ જશે.

ભારતનો રિકવરી રેટ ઘણો સારો
બીજા દેશોના મુકાબલે ભારતનો રિકવરી રેટ ઘણો સારો છે. અહીં અત્યાર સુધી 6 લાખ દર્દીઓમાંથી 3.57 લાખ રિકવર થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 59.40 ટકા છે. એનો અર્થ એ કે 100માંથી 59 દર્દી રિકવર થઈ રહ્યા છે. 6 લાખથી વધુ સંક્રમિતોવાળા દેશાં સૌથી સારો રિકવરી રેટ રશિયાનો છે. અહીં 64.62 ટકા રિકવર થઈ ચૂક્યા છે. સૌથી ઓછો રિકવરી રેટ અમેરિકાનો છે. અહીં અત્યાર સુધી 41.66 ટકા દર્દી રિકવર થયા છે.
ખુશખબરીઃ પર્યટકો માટે ખોલવામાં આવ્યુ ગોવા, જાણો શું છે નિયમ
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
