ચીનની ઘુસણખોરીને લઇને કોગ્રેસ દ્વારા ચર્ચાની માંગ કરવામાં આવી
સંસદના શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેસ દ્વારા ચીની ઘુસણખોરીને લઇને ચર્ચાની માગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા તેનો જવાબ એક તરફી આપવામાં આવ્યો છે. તેના પર ચર્ચા થવી જોઇે તેમ લોકોની માંગ છે.
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં હાલમાં ભારત ચીન સૈન વચ્ચે થયેલી ઝડપમાં કોગ્રેસ સહિત વિપક્ષો કેન્દ્રની બીજેપી સરકારને ઘેરવામાં લાગેલી છે. સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષી નેતા લગાતાર ચર્ચાની માગ કરી રહ્યા છે. આ સાથે જ કોગ્રેસ નેતૃત્વ વાળા વિપક્ષે સરકારને સદનમાં ઘેરવાનું ચાલુ રાખ્યુ છે. બુધવારે સોનિયા ગાંધીએ કોગ્રેસ સંસદીય દળની બેઠકમાં ચીની ઘુસણખોરીની ચિંતા વ્યક્ત કરી હતી. તો હવે કોગ્રેસના સાસંદ પી ચિદબરમે કહ્યુ કે, અમે ચીન પર ચર્ચા કરવા માંગીએ છીએ.
કોગ્રેસના વરિષ્ઠ નેતા અને સાસંદ પી ચિંદબરમે કહ્યુ કે, અમે ચીન પર ચર્ચા કરવા માંગીએ છીએ. ચીનની ઘુસણખોરી કેમ નથી રોકવામાં આવતી.? અમે લોકો એ જાણવા માગીએ છીએ કે, તૈયારીનું સ્તર કેટલુ છે., ચીની સૈનિકો સાથે 16 વાર પાતચિતમાં પીએલએ ને શુ મળ્યુ, પ્રધાનમંત્રીએ બાલીમાં ચીની રાષ્ટ્રપતિને શુ કહ્યુ હતુ.
ચિંદંબરમે કહ્યુ કે, સૈનાનું ગુપ્ત માહિતી નથી માંગી રહ્યા . ચીનને ભારતમાં ઘુસણખોરી કરવા દેવામાં કેમ આવે છએ. જ્યારે આપણ પ્રતિક્રિયા ઘણી પ્રતિક્રિયાત્મક છે.? તો પણ ઘુસણખોરી કેમ નથી રોકી શકાતી, કોગેર્સના અધ્યક્ષ મલ્લિકા્ર્જન ખડગેએ આ મુદ્દાા પર સદનમાં ભારત-ચીન મુદ્દાને લઇને ચર્ચા કરવા માગીએ છીએ. ચર્ચા વગર એક તરફી જ ઉત્તર મળ્યો તો તેનો શુ અર્થ છે.