Padmaavat Release: કરણી સેનાએ કરી દેશવ્યાપી બંધની ઘોષણા
દેશભરમાં રિલીઝ થશે પદ્માવત, કરણી સેનાએ કર્યું બંધનું એલાનસિનેમાઘરોની બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્તઆ અંગે વધુ વાંચો અહીં...
સંજય લીલા ભણસાલીની સૌથી ચર્ચિત અને વિવાદિત ફિલ્મ 'પદ્માવત' આખરે 25 જાન્યુઆરી ને ગુરૂવારે રિલીઝ થવા જઇ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે આ ફિલ્મ અનેક સંશોધન બાદ દેશભરમાં 4500 સ્ક્રિન પર રિલીઝ થવા જઇ રહી છે, જો કે કરણી સેનાનો ફિલ્મ સામેનો વિરોધ ચાલુ છે. કરણી સેના દ્વારા 'પદ્માવત'ના વિરોધમાં દેશવ્યાપી બંધની ઘોષણા કરવામાં આવી છે. કરણી સેના અને અન્ય કેટલાક સંગઠનોના વિરોધને કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં સિનેમાગૃહના માલિકોએ આ ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં જ્યાં પણ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી, નોયડા, મુંબઇ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ દરેક જગ્યાએ કડક સુરક્ષા બંદોબસ્ત છે.

દિલ્હીમાં સિનેમાગૃહોની બહાર રેપિડ એક્શન ફોર્સ ખડે પગે હાજર છે, તો ગુરુગ્રામમાં પહેલા જ કલમ 144 લગાવવામાં આવી છે. આ સઘળા વિવાદ અને વિરોધ વચ્ચે પણ ફિલ્મ 'પદ્માવત'નું ધમાકેદાર એડવાન્સ બુકિંગ થયું છે. જે શહેરમાં આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે, ત્યાં ઘણા સિનેમાગૃહોમાં શરૂઆતના બધા શો હાઉસફુલ હોવાની જાણકારી મળી છે. 80 વધુ શહેરોમાં આ ફિલ્મ માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. આ અંગે દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, ફિલ્મ આખરે રિલીઝ થઇ રહી છે અને તેઓ લોકોની પ્રતિક્રિયા જોઇને ખૂબ ઉત્સાહિત છે. તેણે ફિલ્મની ટીમ અને ક્રૂના તમામ સભ્યો તરફથી ફિલ્મને સહકાર આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો.
#Padmaavat has been through so much. To see it finally releasing & the reaction it is getting is extremely overwhelming. I am very excited for the release tomorrow. Big day for all of us. On behalf of entire crew we want to thank you for being so supportive: Deepika Padukone pic.twitter.com/HOq1HXBtxg
— ANI (@ANI) January 24, 2018
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
