Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pahalgam Terror Attack Alert: તમામ પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે, સિંધુ જળ સંધિ પર પણ રોક

Pahalgam Terror Attack : ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાનને લઈને ભારતે મોટી કાર્યવાહી કરી છે. પહેલગામ હુમલા બાદ સરકાર એક્શનમાં આવી છે.

Pahalgam Terror Attack

​ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાની સૂચના આપી છે. આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી લેવામાં આવ્યો છે, જેમાં 26 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા.​

ભારત સરકારે સિંધુ જળ કરાર પર પુણ કડક વલણ અપનાવ્યુ છે અને પાકિસ્તાન સામે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. પાકિસ્તાનના નાગરિકોને SAARC વિઝા છૂટમાં પણ ભારત પ્રવાસ કરવાની મંજૂરી નહિ આપવામાં આવે.

આ સિવાય અગાઉ આપેલા તમામ SPES વિઝા રદ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં SPES વિઝા હેઠળ ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલય મુજબ, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઊચ્ચાયોગમાં રહેલા રક્ષા, લશ્કરી, નૌસેનાના અને વાયુસેનાના અધિકારીઓને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, દિલ્હીમાં આવતીકાલે કેન્દ્રીય સરકારે તમામ પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, રક્ષા મંત્રી રાજનાથસિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે અટારી-વાઘા સરહદ પણ આગામી સુચના સુધી માટે બંધ કરાઈએ છે. ભારતના આ પગલા પાકિસ્તાન વિરુદ્ધ એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X