Pahalgam Terror Attack Alert: તમામ પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે, સિંધુ જળ સંધિ પર પણ રોક
Pahalgam Terror Attack : ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાનને લઈને ભારતે મોટી કાર્યવાહી કરી છે. પહેલગામ હુમલા બાદ સરકાર એક્શનમાં આવી છે.

ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાની સૂચના આપી છે. આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી લેવામાં આવ્યો છે, જેમાં 26 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા.
ભારત સરકારે સિંધુ જળ કરાર પર પુણ કડક વલણ અપનાવ્યુ છે અને પાકિસ્તાન સામે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. પાકિસ્તાનના નાગરિકોને SAARC વિઝા છૂટમાં પણ ભારત પ્રવાસ કરવાની મંજૂરી નહિ આપવામાં આવે.
આ સિવાય અગાઉ આપેલા તમામ SPES વિઝા રદ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં SPES વિઝા હેઠળ ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલય મુજબ, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઊચ્ચાયોગમાં રહેલા રક્ષા, લશ્કરી, નૌસેનાના અને વાયુસેનાના અધિકારીઓને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, દિલ્હીમાં આવતીકાલે કેન્દ્રીય સરકારે તમામ પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, રક્ષા મંત્રી રાજનાથસિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે અટારી-વાઘા સરહદ પણ આગામી સુચના સુધી માટે બંધ કરાઈએ છે. ભારતના આ પગલા પાકિસ્તાન વિરુદ્ધ એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યા છે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
