Pahalgam terror attack : પહેલગામ હુમલો કરનારાઓની ઓળખ થઈ, 2 પાકિસ્તાની નાગરિક હોવાનો ખુલાસો
Pahalgam terror attack : જમ્મુ અને કાશ્મીરના પહેલાંગામમાં થયેલા આતંકી હુમલાને લઈને પોલીસ તરફથી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. હુમલો કરનારા ત્રણ આતંકીઓની ઓળખ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણે આતંકીઓ લશ્કર-એ-તૈયબા નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે. તેમના નામ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન, અલી ભાઈ ઉર્ફે તલ્હા ભાઈ અને આદિલ હુસૈન ઠોકર તરીકે જાહેર કરાયા છે.

હાશિમ મુસા અને તલ્હા બંને પાકિસ્તાનના નાગરિક છે. તે લગભગ બે સપ્તાહ પહેલા મિત્રો સાથે છુપાઇને ભારતમાં પ્રવેશ્યા હતા. આ વખતે તેઓ પોતાની ઓળખ છુપાવીને સામાન્ય મુસાફરોની જેમ દેશમાં પ્રવેશ્યા હતા.
ત્રીજો આતંકી આદિલ હુસૈન ઠોકર જમ્મુ અને કાશ્મીરનો જ રહેવાસી છે. તેનો સંપર્ક પાકિસ્તાની આતંકીઓ સાથે હતો અને તેણે તેમને સ્થાનિક સ્તરે મદદ કરી હોવાની સંભાવના છે.
આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે ત્રણેય આતંકીઓ પર 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. જે કોઈ વ્યક્તિ આ આતંકીઓ વિશે માહિતી આપે છે કે તેમને પકડવામાં મદદ કરે છે, તેને આ ઇનામ આપવામાં આવશે.
સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરફથી મોટી કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને આતંકીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકો અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ ઘટના સ્પષ્ટ રીતે બતાવે છે કે પાકિસ્તાનમાંથી આતંકી પ્રવૃત્તિઓ હજુ પણ ભારત માટે પડકારરૂપ છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આવાં ઘટનાક્રમોથી લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જોતી હોય તો તરત સ્થાનિક પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
