મોદીના પદ ગ્રહણ બાદ ભારત-પાક વાર્તાની આશા: અસલમ
ઇસ્લામાબાદ, 22 મે: પાકિસ્તાને કહ્યું કે સોમવારે નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન મંત્રીનો પદભાર ગ્રહણ કર્યા બાદ તે ભારતની સાથે 'સાર્થક વાર્તા' ની આશા કરે છે. પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ ગુરૂવારે આ નિર્ણય લેશે કે તે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે કે નહી.
વિદેશ વિભાગની પ્રવક્તા તસનીમ અસલમે સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે ''અમે આશા વ્યક્ત કરી રહ્યાં છીએ કે નવી સરકારનો પ્રભાર ગ્રહણ કર્યા આદ ભારત તથા પાકિસ્તાન વચ્ચે સાર્થક વાર્તા શરૂ કરવામાં આવી શકશે.'' તેમણે કહ્યું કે ભારતે સોમવારે નવી દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ હોવા માટે નવાજ શરીફને નિમંત્રણ મોકલ્યું છે અને આ વિશે આજે નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું કે જો નવાજ શરીફ કોઇ કારણથી નવી દિલ્હી પહોંચી નહી શકતા નથી, તો પ્રતિનિધિની પસંદગી કરવામાં આવશે. તેમણે એમપણ કહ્યું હતું કે સામાન્ય વાત છે અને આમ કરવાથી શિષ્ટાચારનું ઉલ્લંઘન હશે નહી. કુટનીતિક સૂત્રોએ પહેલાં કહ્યું હતું કે વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ નવી દિલ્હીના પ્રવાસ વિશે નિર્ણય સંબંધિત પક્ષો સાથે પરાર્મશ બાદ કરશે.
ભારતના ભાવિ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાઇ સ્થાનિક સહ્યોગ સંગઠન (સાર્ક)ના સભ્યો રાષ્ટ્રોના નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મોકલ્યું છે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને માલદીવે સમારોહમાં પોતાની સહભાગિતાની પુષ્ટિ કરી દિધી છે.












Click it and Unblock the Notifications
