For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની સેનાએ આખી રાત ગોળીબાર ચાલુ રાખ્યો

|
Google Oneindia Gujarati News

pak-firing
શ્રીનગર, 12 જાન્યુઆરી : પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાની લશ્કરે બેશરમીની હદ વટાવી દીધી છે. છેલ્લા 4 દિવસથી ભારત-પાકિસ્તાનની સરહદ પર ભારતીય જવાનો પર પાકિસ્તાનના જવાનોએ કરેલા બર્બર કૃત્ય અંગે ભારતે તેને ઠપકો આપવા છતાં શુક્રવારની રાતભર તેણે સરહદ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો.

ભારતીય લશ્કરમાંના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર આવેલી કૃષ્ણા ઘાટી અને સોના ગલી સેક્ટરોમાં ભારતીય લશ્કરની પાંચ ચોકીઓ પર ગોળીબાર કર્યો છે. તેમણે આ ગોળીબાર ગઈ શુક્રવારથી શરૂ કર્યો હતો અને આખી રાત ચાલુ રાખ્યો હતો.

પાકિસ્તાની લશ્કરે શુક્રવારે સાંજે 4.30 વાગ્યાથી ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતે તેનો વળતો જવાબ આપ્યો હતો. થોડી થોડી વારે સામસામો ગોળીબાર થતો જ રહ્યો હતો અને આખી રાત એ સીલસીલો ચાલુ રહ્યો હતો. ભારતીય પક્ષે હજી સુધી કોઇ જવાન ઘાયલ થયો નથી.

English summary
Pak troops fire continued throughout the night on border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X