For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 ના માસ્ટમાઇન્ડ લખવીને પાક કોર્ટ કરશે આઝાદ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ હાઇકોર્ટે 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ જકીઉર રહમાન લખવીની ધરપકડને ગેરકાનૂની કહી તેને તત્કાળ છૂટા કરવાનો આદેશ આપ્યો છે. જે મુજબ લખવીને આજે આઝાદ કરી દેવામાં આવશે.

આ નિર્ણય હાઇકોર્ટના જજ નુરુલ હકનો છે. વધુમાં આ પહેલા કોર્ટે મુંબઇ હુમલાના મામલે સાત આરોપીઓની સામે સુનવણી બુધવાર 18 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. કારણ કે ત્યારે લખવીની જમાનત યાચિકાની સુનવણી હાઇકોર્ટમાં ચાલી રહી.

lakhvi

નોંધનીય છે કે લશ્કર એ તૈયબાના કાર્યવાહક કમાન્ડર લખવી વર્ષ 2008માં થયેલા મુંબઇ હુમલાના પ્રમુખ સંદિગ્ધમાંથી એક છે. આ હુમલામાં 160 લોકોની મોત થઇ હતી. જે આરોપ સર જ તેને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો.

જો કે જેલમાં પણ લખવીને મોજ છે. જેલમાં તેને ટેલિવિઝન, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટની સુવિધાઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં લખવી કોઇ પણ દિવસે કે સમયે પોતાની સંબંધીને મળી શકે છે.

જો કે ભારત સરકારે લખવીની રિહાઇ પર સખત વિરોધ નોંધાવતા કહ્યું છે કે પાકિસ્તાન સારા અને ખરાબ આંતકવાદનું નાટક બંધ કરે અને લખવી જેલમાં જ બંધ રાખે તો સારું.

English summary
The Islamabad High Court on Friday declared the detention orders of Zakiur Rehman Lakhvi, the alleged mastermind of the 2008 Mumbai attack, as illegal and ordered his immediate release, a media report said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X