26/11 ના માસ્ટમાઇન્ડ લખવીને પાક કોર્ટ કરશે આઝાદ
ઇસ્લામાબાદ હાઇકોર્ટે 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ જકીઉર રહમાન લખવીની ધરપકડને ગેરકાનૂની કહી તેને તત્કાળ છૂટા કરવાનો આદેશ આપ્યો છે. જે મુજબ લખવીને આજે આઝાદ કરી દેવામાં આવશે.
આ નિર્ણય હાઇકોર્ટના જજ નુરુલ હકનો છે. વધુમાં આ પહેલા કોર્ટે મુંબઇ હુમલાના મામલે સાત આરોપીઓની સામે સુનવણી બુધવાર 18 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. કારણ કે ત્યારે લખવીની જમાનત યાચિકાની સુનવણી હાઇકોર્ટમાં ચાલી રહી.

નોંધનીય છે કે લશ્કર એ તૈયબાના કાર્યવાહક કમાન્ડર લખવી વર્ષ 2008માં થયેલા મુંબઇ હુમલાના પ્રમુખ સંદિગ્ધમાંથી એક છે. આ હુમલામાં 160 લોકોની મોત થઇ હતી. જે આરોપ સર જ તેને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો.
જો કે જેલમાં પણ લખવીને મોજ છે. જેલમાં તેને ટેલિવિઝન, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટની સુવિધાઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં લખવી કોઇ પણ દિવસે કે સમયે પોતાની સંબંધીને મળી શકે છે.
જો કે ભારત સરકારે લખવીની રિહાઇ પર સખત વિરોધ નોંધાવતા કહ્યું છે કે પાકિસ્તાન સારા અને ખરાબ આંતકવાદનું નાટક બંધ કરે અને લખવી જેલમાં જ બંધ રાખે તો સારું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
