For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને કાબુલમાં ભારતીય રાજદૂતની હત્યા માટે સોપારી આપી

|
Google Oneindia Gujarati News

indian-consulate
નવી દિલ્હી, 3 ઓગસ્ટ : ભારત માટે પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર બેનકાબ થયો છે. વાસ્તવમાં ભારત સરકારને માહિતી મળી છે કે પાકિસ્તાને જ અફઘાનિસ્તાનમાં નિયુક્ત ભારતીય રાજદૂત પર હુમલો કરવા માટે સોપારી આપી છે. સરકારે કાબુલમાં ભારતીય રાજદૂત અમર સિંહાને ચેતવી દીધા છે. સરકારે સિંહાને જણાવ્યું છે કે પાકિસ્તાનના ફિદાયીન સભ્યો તેમની પર પ્રાણઘાતક હુમલો કરવા માટે તૈયાર છે.

સિંહાને જણાવવામાં આવ્યું છે કે તેઓ બુલેટપ્રુફ જેકેટ પહેર્યા વિના ઘરની બહાર નીકળે નહીં. તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે ઓછામાં ઓછી ત્રણ હથિયારબંધ લેન્ડ ક્રુઝર લઇને નીકળે. આ અંગે એક અંગ્રેજી દેનિકે જણાવ્યું છે કે ભારત સરકારને પોતાના સૂત્રો પાસેથી ખાનગી માહિતી મળી છે કે આઇએસઆઇએ અમર સિંહાને જાનથી મારી નાખવા માટે હક્કાનીના નેટવર્કના બે તાલિબાનીયોને રૂપિયા પાંચ લાખ આપીને સોપારી આપી છે.

આ દમરિયાન સુરક્ષા અધિકારીઓની એક ટીમ ત્યાં મોકલવામાં આવી છે. જેથી ભારતીય દૂતાવાસ અને રાજદૂતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો પહેલા અફઘાનિસ્તાનમાં જ ભારતીય દૂતાવાસ પર ખૂબ મોટો હુમલો થયો હતો. તેમાં ભારતના અનેક ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા હતા.

English summary
Pakistan give contract to kill Indian ambassador in Kabul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X