પાક પત્રકારે અમરિંદર સિંહ સાથેના સંબંધો અંગે ખુલીને વાત કરી

અમરિંદર સિંહ વિશે અરુસા આલમ શું વિચારે છે, પાકિસ્તાની પત્રકારે ખુલ્લેઆમ પોતાની વાત રાખી છે અને અમરિંદર સિંહ સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો છે.

લાહોર : પંજાબના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર અરુસા આલમ વચ્ચેના સંબંધો કેવા છે? ભારતમાં બંને વચ્ચેના સંબંધો પર શું કહેવામાં આવે છે અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિશે અરુસા આલમ શું વિચારે છે, પાકિસ્તાની પત્રકારે ખુલ્લેઆમ પોતાની વાત રાખી છે અને અમરિંદર સિંહ સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો છે.

પાકિસ્તાની પત્રકારે જણાવ્યું હતું કે, ભારતમાં તેમના સંબંધો પર નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે અને જો ભારતની કોઈ એજન્સી ઈચ્છે તો તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથેના સંબંધોની તપાસ કરી શકે છે.

કોઈપણ પૂછપરછ માટે તૈયાર છે પાકિસ્તાની પત્રકાર

કોઈપણ પૂછપરછ માટે તૈયાર છે પાકિસ્તાની પત્રકાર

પાકિસ્તાની પત્રકાર અરુસા આલમે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથેના કથિત સંબંધોનેલઈને ભારતીય એજન્સીઓની કોઈપણ તપાસમાં શામેલ થવા તૈયાર છે.

તેમણે તેમની સામેના આરોપોને "આક્રોશજનક અને તદ્દન નિરાશાજનક" ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અરુસા આલમ વચ્ચેના 'સંબંધ'ને લઈને વિવાદ ત્યારે શરૂ થયો છે, જ્યારે પંજાબના વર્તમાન નાયબ મુખ્યમંત્રીસુખજિંદર સિંહ રંધાવાએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે, અરુસા આલમના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોની તપાસ કરવામાં આવશે. તે કેવી રીતેસંબંધિત છે તે શોધવા માટે તપાસ કરવામાં આવે છે.

જે બાદ પાકિસ્તાની પત્રકારે ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈ સાથે પોતાના કેપ્ટન સાથેના સંબંધો પરખુલીને વાત કરી હતી.

અમરિન્દર સિંહ સાથે તમારો સંબંધ કેવો છે?

અમરિન્દર સિંહ સાથે તમારો સંબંધ કેવો છે?

અરુસા આલમ અને અમરિન્દર સિંહ વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ? તે અંગેના પ્રશ્નના જવાબમાં પાકિસ્તાની પત્રકારે વાત કરતા જણાવ્યું હતું કે, ના, તે અમરિંદર સિંહસાથે અફેરમાં ન હતા, પરંતુ તેમના સંબંધ ગાઢ હતા.

પાકિસ્તાની પત્રકારે જણાવ્યું હતું કે, અમે સાથી રહ્યા છીએ. જ્યારે હું તેમને પહેલીવાર મળી, ત્યારે હું 56 વર્ષનીહતી અને તેઓ 66 વર્ષ હતા.

આ ઉંમરે તમે પ્રેમીઓની શોધમાં નથી હતો. અમે મિત્રો, સાથી અને આત્મીયતા સંબંધોથી જોડાયેલા છીએ.

રોમાન્સ પર પાકિસ્તાની પત્રકારે શું કહ્યું?

રોમાન્સ પર પાકિસ્તાની પત્રકારે શું કહ્યું?

પાકિસ્તાની પત્રકાર અરુસા આલમે કેપ્ટન અમરિન્દર સિંહ સાથેના સંબંધોના દરેક પાસાઓ વિશે વાત કરીને તમામ વિવાદોને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણેજણાવ્યું હતું, અમે જીવનના એવા તબક્કે મળ્યા હતા, જ્યાં પ્રેમ અને રોમાંસથી કોઈ ફરક પડતો નથી. અમે નજીકના મિત્રો અને સારા પારિવારિક મિત્રો છીએ. હું તેનીમાતા, તેના પરિવાર અને તેની બહેનોને મળ્યો છું.

પંજાબના નાયબ મુખ્ય પ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાએ તાજેતરના નિવેદનમાં ધર્મને ટાંકીને જણાવ્યું છે કે, શીખધર્મમાં "પ્રેમ સંબંધો"ની મંજૂરી નથી.

તેમણે કહ્યું, ગુરબાનીમાં પણ બીજી સ્ત્રી સાથે રહેવું ખોટું માનવામાં આવે છે. અરુસા આલમના મુદ્દે હું અને કેપ્ટન અમેરિકામાં પણલડ્યા હતા.

કેપ્ટને રંધાવાને કર્યો સવાલ

કેપ્ટને રંધાવાને કર્યો સવાલ

જ્યારે પંજાબના ઉપમુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહ પર અંગત જીવત પર પ્રહારો કરવાનું શરૂ કર્યું, ત્યારે કેપ્ટને ટ્વિટ કરીને જવાબ આપ્યોહતો.

કેપ્ટને સવાલ કર્યો હતો કે, રંધાવા, તમે લાંબા સમય સુધી મારી કેબિનેટમાં મંત્રી હતા, પરંતુ તમે ક્યારેય અરુસા આલમ વિશે કોઈ પ્રશ્ન કે ફરિયાદ નથી કરી.

તેભારત સરકારની પરવાનગી સાથે છેલ્લા 16 વર્ષથી ભારત આવી રહી છે. શું તમારો કહેવાનો મતલબ એ છે કે, આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં સરકારમાં રહેલીયુપીએ અને એનડીએ બંને સરકારોએ અરુસા આલમના આઈએસઆઈ સાથેના સંબંધોની અવગણના કરી હતી?

અરુસા આલમે ભારતમાં એન્ટ્રી પર વાત કરી હતી

અરુસા આલમે ભારતમાં એન્ટ્રી પર વાત કરી હતી

આ સાથે જ પાકિસ્તાની પત્રકાર અરુસા આલમે પણ ભારતની મુલાકાતને લઈને ઉભા થયેલા સવાલોના જવાબ આપ્યા છે.

પીટીઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હુંભારતની કેન્દ્રીય એજન્સીઓને સહકાર આપવા તૈયાર છું, જો તેઓ આ મુદ્દે કોઈ તપાસ શરૂ કરે છે.

ભારત મારા વિરુદ્ધ પાયાવિહોણા પ્રચારની તપાસ કરવા ત્રીજા દેશનાતપાસકર્તાઓને પણ શામેલ કરી શકો છો.

અરુસા આલમે કહ્યું, પહેલાં મને કોઈ કારણસર ભારતીય વિઝા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો અને ભારત સરકારે પણ આવી તપાસ કરી હતી, પરંતુ બાદમાંમને વિઝા આપવામાં આવ્યો હતો.

તે છેલ્લે નવેમ્બરમાં ભારત આવી હતી અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ હજૂ પણ તેની સાથે છે. 67 વર્ષીય પાકિસ્તાનીપત્રકારે કહ્યું કે, આ વિવાદ છતાં કેપ્ટન સાહબ હજૂ પણ મારા સારા મિત્ર છે.

પાકિસ્તાની પત્રકાર સિદ્ધુ પર રોષે ભરાયા

પાકિસ્તાની પત્રકાર સિદ્ધુ પર રોષે ભરાયા

67 વર્ષીય પાકિસ્તાની પત્રકાર અરુસા આલમે જણાવ્યું છે કે, મારી સામે અપમાનજનક અને નિરાશાજનક આરોપો લગાવવામાં આવ્યા છે.

મારા મતે નવજોત સિંહ સિદ્ધુસાથે ISI સાથેના મારા સંબંધોને જોડવાનો વિચાર કદાચ તેમના રણનીતિકાર મોહમ્મદ મુસ્તફાનો હશે.

કદાચ તેમણે સિદ્ધુને સલાહ આપી હશે કે, મુખ્યમંત્રીની ખુરશીમેળવવામાં નિષ્ફળતા બાદ તેમણે ISIની વાતને હવા આપવી જોઈએ, કારણ કે ISIની વાત ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

રંધાવા મારા અને ISIસંબંધોની તપાસ કરવા માગે છે, પરંતુ રંધાવાનું કાર્યક્ષેત્ર કેટલું દૂર છે, શું રંધાવાને તેની ખબર નથી? પરંતુ આ બાદ પણ જો તેઓ તપાસ કરવા માંગતા હોય તોતેમનું સ્વાગત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X