હોકીમાં હારનો બદલો લેવા માટે પાકિસ્તાને કર્યું ફાયરિંગ
નવી દિલ્હી, 10 ઓક્ટોબર: તાજેતરમાં પાકિસ્તાન દ્વારા ચાલુ ફાયરિંગમાં બીએસએફે મોટો ખુલાસો કર્યો છે. બીએસએફ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટમાં સીઝફાયરના ઉલ્લંઘનના કારણે એશિયન ગેમ્સમાં પાકિસ્તાનની હારને જવાબદાર ગણાવવામાં આવી છે.
એશિયન ગેમ્સમાં જેવી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી ત્યારથી પાકિસ્તાને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દિધું. ત્યારથી માંડીને અત્યારસુધી પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ભારત દ્વારા બીએસએફે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. પાકિસ્તાની 45 ચોકીઓને ધ્વસ્ત કરી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય હુમલામાં પાકિસ્તાનના 18 લોકો મૃત્યું પામ્યા છે. પાકિસ્તાનના સમાચાર પત્ર ભારતીય હુમલાના સમાચાર ભારે પડ્યા છે.

પાકિસ્તાનની ફાયરિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારા જવાનોએ યોગ્ય જવાબ આપ્યો છે. તેમને ખબર પડી કે પરિસ્થિતી બદલાઇ ગઇ છે. સમય બદલાઇ ગયો છે. યૂપીએના સમયમાં સતત સીઝફાયર તૂટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સખત શબ્દોમાં કહ્યું કે સીમા લલકારે તો પછી બંદૂક બોલે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ એશિયન ગેમ્સમાં પાકિસ્તાને હોકીની ફાઇનલમાં હરાવીને ભારતે 48 વર્ષ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ચેતાવણી આપવા છતાં પાકિસ્તાન બોર્ડર પર જવાનોની સંખ્યા વધારે છે.












Click it and Unblock the Notifications
