Coronavirusના કારણે સોમવારે સંસદના બજેટનું સમાપન થવાની સંભાવના

Coronavirusના કારણે સોમવારે સંસદના બજેટનું સમાપન થવાની સંભાવના

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધતા ખતરા વચ્ચે સંસદનું બજેટ સત્ર સોમવારે ખતમ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. કોવિડ-19થી ઉત્પન્ન ખતરાને ધ્યાનમાં રાખી આ સત્રને નિર્ધારિત સમયથી 12 દિવસ પહલા જ સમાપ્ત કરી દેવાની સંભાવના છે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી. અગાઉ આ સ્તરનું ત્રણ એપ્રિલે સમાપન થનાર હતું, પરંતુ હવે એવી સંભનાવના છે કે 23 માર્ચે જ અનિશ્ચિતકાળ માટે સમાપ્ત થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસ સહિત કેટલાય રાજનૈતિક દળોએ કેટલાય રાજ્યો દ્વારા કોરોનાવાઈરસને લઈ વિવિધ અવધી માટે બંદીની ઘોષણા કરાઈ હોવાના કારણે સોમવારે સત્રમાં ભાગ ના લેવાનો નિર્ણય લીધો છે.

Coronavirus

તૃણમૂલ કોંગ્રેસે રવિવારે ઘોષણા કરી કે તેણે કોરોનાવાઈરસના ખતરાને ધ્યાનમાં રાખી પોતાના બધા સાંસદોને સંસદથી પરત ફરી પોતાના ચૂંટણી ક્ષે્રમાં પચા જવા નિર્દેશ આપ્યો છે. તૃણમૂલના સાંસદ અને રાજ્યસભામાં પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયન અને લોકસભા સાંસદ અને લોકસભામાં પાર્ટીના નેતા સુદીપ બંદોપાધ્યાયે બંને સદનોના પીઠાસીન અધિકારીઓને પત્ર લખી અનુરોધ કર્યો છે કે સદનની કાર્યવાહી 23 માર્ચે પૂરી કરી દેવામાં આવે. તૃણમૂલના લોકસભામાં 22 અને રાજ્યસભામાં 13 સભ્યો છે. તેમણે કહ્યું કે તૃણમૂલ પાછલા 10 દિવસથી સંસદને સ્થગિત કરવાની સરકાર સમક્ષ અપીલ કરી રહ્યું છે, પરંતુ હજી સુધી એકેય પગલાં ઉઠાવવામાં આવ્યાં નથી.

પત્રમાં કહેવામાં આવ્યું કે, પ્રધાનમંત્રીએ સ્વયં સામાજિક દૂરી બનાવી રાખવાની તત્કાળ આવશ્યકતા મોટા સમૂહમાં એકત્ર ન થવા અને 65 વર્ષ અને વધુ ઉંમરના લોકોએ વધુ સાવધાની વરતવાની જરૂરત છે. તેમાં કહેવામાં આવ્યું કે રાજ્યસભામાં 44 ટકા સાંસદ અને લોકસભામાં 22 ટકા સાંસદો 65 વર્ષથી વધુ ઉંમરના છે. આ માત્ર સાંસદોનો જ સવાલ નથી, બલકે દરરોજ સંસદ પરિસરમાં આવતા હજારો લોકોનો સવાલ છે. આ વિરોધાભાસી સંદેશ બહુ ખતરનાક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X