ધરપકડ બાદ ચંદ્રબાબુ નાયડુની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં છલકાયુ દર્દ- 45 વર્ષોમાં મે નિસ્વાર્થ ભાવથી...
Chandrababu Naidu Post after Arrested: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ બાદ તેમની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટ ચંદ્રબાબુ નાયડુના સત્તાવાર હેન્ડલ X (અગાઉનું ટ્વિટર) પર આવી છે.
ચંદ્રબાબુ નાયડુએ લખ્યું છે કે, "છેલ્લા 45 વર્ષથી મેં નિઃસ્વાર્થપણે તેલુગુ લોકોની સેવા કરી છે. હું તેલુગુ લોકોના હિતોની રક્ષા માટે મારા જીવનનું બલિદાન આપવા તૈયાર છું. દુનિયાની કોઈ શક્તિ મને તેલુગુ લોકો, મારા આંધ્રપ્રદેશ અને મારી માતૃભૂમિની સેવા કરતા રોકી શકશે નહીં."

પોસ્ટના અંતમાં ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે કે આ પોસ્ટ 09 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 વાગ્યે કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ચંદ્રબાબુ નાયડુની પણ તે જ સમયે સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. શક્ય છે કે વોરંટ જારી થયા બાદ આ પોસ્ટ કરવામાં આવી હોય. ચંદ્રબાબુ નાયડુએ પોસ્ટ સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેઓ કેટલાક દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે.
For the past 45 years, I have selflessly served Telugu people. I am prepared to sacrifice my life to safeguard the interests of Telugu people. No force on earth can stop me from serving Telugu people, my #AndhraPradesh and my motherland.
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023
Posted at 6 AM, 09th September 2023 pic.twitter.com/721COYldUd
પોલીસ કસ્ટડીમાં લેવાતા પહેલા ચંદ્રાબાબુ નાયડુએ મીડિયાને કહ્યું, "મેં કોઈ ગેરવર્તન કે ભ્રષ્ટાચાર કર્યો નથી. સીઆઈડીએ કોઈપણ યોગ્ય માહિતી વિના મારી ધરપકડ કરી અને મેં તેમને પુરાવા બતાવવા કહ્યું, પરંતુ તેઓએ પુરાવા બતાવવાની ના પાડી અને મારી ભૂમિકા વિના એફઆઈઆરમાં મારું નામ ઉમેર્યું."
VIDEO | TDP chief N Chandrababu Naidu speaks to media after being arrested by Andhra Pradesh CID in connection with a corruption case. pic.twitter.com/iTQFAtCu1b
— Press Trust of India (@PTI_News) September 9, 2023
અહીં તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડનો વિરોધ શરૂ કરી દીધો છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે પણ વિરોધ કર્યો હતો અને CIDની કાર્યવાહીની ટીકા કરી હતી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
