Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તિરુપતિ મંદિરના પ્રસાદના વિવાદ વચ્ચે પવન કલ્યાણનું એક્સક્લુસિવ ઈન્ટરવ્યું

Tirupati temple controversy: હાલ આંધ્ર પ્રદેશનું તિરુપતિ મંદિર પ્રસાદમાં આપવામાં આવતા લાડુના કારણે ચર્ચામાં છે. આ લાડુમાં પ્રાણીની ચરબીની હાજરીના કારણે વિવાદનો વંટોળ સર્જાયો છે.

આંધ્ર પ્રદેશમાં સ્થિત ભગવાન વેંકટેશ્વરનું તિરુપતિ તિરુમાલા બાલાજી મંદિર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તિરુપતિ મંદિરમાં લાડુનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. આ સૌથી ધનિક મંદિર હાલ તેના પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતાના કારણે વિવાદમાં છે.

તિરુપતિ લાડુમાં બીફ ટોલો, પિગ લાર્ડ અને માછલીના તેલના કથિત ઉપયોગને લગતા વિવાદના કારણે સમગ્ર વિશ્વમાં ભગવાન વેંકટેશ્વરના ભક્તોએ હોબાળો મચાવ્યો છે.

વર્તમાન મુખ્યમંત્રીના જાહેર નિવેદન બાદ આ મુદ્દે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેનાથી સત્તાધારી ભાજપ-જેએસપી-ટીડીપી ગઠબંધન અને પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની વાયએસઆરસીપી વચ્ચેની ઘર્ષણ વધુ તીવ્ર બન્યું છે.

Tirupati Temple Controversy

જ્યારે ભાજપ અને ટીડીપીએ છેલ્લાં પાંચ વર્ષમાં ભક્તોની ચિંતાઓ પર ધ્યાન ન આપવા બદલ YSRCP અને પૂર્વ CM જગન પર સતત નિશાન સાધ્યું છે.

આ સાથે આંધ્ર નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે OneIndia સાથેના એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરતા નિવેદનો આપ્યા છે કે, આ માટે જગનને દોષ આપો જોઈએ.

જ્યારે પવન કલ્યાણને પૂછવામાં આવ્યું કે, શાસક ગઠબંધન જગન મોહન રેડ્ડીને કેવી રીતે દોષી ઠેરવી શકે છે? જ્યારે આઇટી પ્રધાન નારા લોકેશે પોતે જણાવ્યું હતું કે, TTD (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) એક સ્વતંત્ર સંસ્થા છે.

જેના જવાબમાં પવન કલ્યાણે જવાબ આપતા જણાવ્યું હતું કે, અમે ક્યારેય જગન પર આરોપ લગાવ્યો જ નથી. અમે TTD બોર્ડની ટીકા કરી રહ્યા છીએ. વ્યક્તિગત રીતે, અને રેકોર્ડ પર, અમે ક્યારેય જગનની ટીકા કરી નથી.

પવન કલ્યાણે જણાવ્યું હતું કે, અમારી ટિપ્પણીઓ જગનના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલા બોર્ડ પર નિર્દેશિત છે. મારો પ્રશ્ન સરળ છે: હું સંમત છું કે બોર્ડ જગન દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ તમે તેની ક્રિયાઓ માટે સીધા જવાબદાર નથી. તપાસ આગળ વધવા દો અને તારણો જાહેર કરો. પણ જગન કેમ ડરે છે? આ લોકોનો બચાવ શા માટે કરે છે? એ મારો સવાલ છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનના પુત્ર આઇટી મંત્રી નારા લોકેશને તપાસ અહેવાલો જાહેર કરવામાં વિલંબ અંગે પૂછપરછ કરવામાં આવી હતી, તેના થોડા સમય બાદ આ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, લોકેશે ટિપ્પણી કરી કે, TTD એક સ્વતંત્ર સંસ્થા છે, અને CM માત્ર એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X