આજે માણી શકાશે વર્ષના અંતિમ ચંદ્રગ્રહણનો નજારો
ઉજ્જૈનની પ્રતિષ્ઠિત વેધશાળાના અધિક્ષક ડૉ, રાજેન્દ્રપ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય સમય અનુસાર ઉપછાયા ચંદ્રગ્રહણની શરૂઆત 28 નવેમ્બરના રોજ સાંજે 5:43 વાગે શરૂ થશે અને તે રાત્રે 10:23 વાગે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ 4 કલાક 40 મિનિટ અને 46 સેકન્ડ સુધી ચાલશે.
લગભગ બે દાયકા જૂની વેધશાળાના અધિક્ષકે પોતાની ગણના હવાલે કહ્યું હતું કે ઉપછાયા ચંદ્રગ્રહણ રાત્રે 8:03 વાગે ચરમસીમાએ પહોંચશે, જ્યારે ચંદ્રમા પૃથ્વીના પકડછાયાવાળા ભાગમાંથી પસાર થશે.
રાજેન્દ્રપ્રકાશ ગુપ્તાએ કહ્યું હતું કે પરિક્રમા કરી રહેલા ચંદ્રમાના પ્રકાશની તીવ્રતા આ સમયે ઓછી થઇ જશે અને તેમાં આછી લાલીમા જોવા મળશે. આ નજારાને નરી આંખે જોઇ શકાશે, તેમને કહ્યું હતું કે ઉપછાયા ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પેનુમ્બ્રા (ગ્રહણના સમયે ધરતીના પડછાયાનો આછો ભાગ)થી પસાર થાય છે. આ સમયે ચંદ્રમા પર પડનાર સૂર્યની રોશની આંશિક રૂપથી કપાતા લાગે છે અને ગ્રહણને ચંદ્રમા પર પડનારી આછા પડછાયાના રૂપમાં જોઇ શકાશે.