‘રોડ નહીં તો વોટ નહીં’, નીતિશની સભામાં પથ્થરમારો
નાલંદા, 31 માર્ચઃ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમ છે. એક તરફ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દેશભરમાં રેલી સંબોધી રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર બિહારમાં જનસભાઓ સંબોધી રહ્યાં છે, પરંતુ નાલંદા ખાતે જ્યારે તેઓ સભા સંબોધવા ગયા ત્યારે તેમની સભામાં લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી ભીડને કાબુમાં કરવાના પ્રયાસો કર્યા. પથ્થરબાજીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. નાલંદાએ નીતિશ કુમારનું ગૃહ નગર છે તેવામાં અહીં તેમનો વિરોધ એ સારી વાતનો સંકેત આપતો નથી.












Click it and Unblock the Notifications
