For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ યોગીની સભામાં કોઈ આવ્યું નહીં, ખુરશીઓ ખાલી

ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે યુપીના શાહજહાંપુરમાં ત્રણ અલગ અલગ જગ્યા પર કાર્યક્રમ માટે ગયા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે યુપીના શાહજહાંપુરમાં ત્રણ અલગ અલગ જગ્યા પર કાર્યક્રમ માટે ગયા હતા. પરંતુ આજે અમે તમને મુમુક્ષ આશ્રમની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છે. આ ફોટો તે સમયની છે જયારે મંચ પર સીએમ યોગીથી લઈને કેબિનેટ મંત્રી, કેન્દ્રીય પ્રભારી મંત્રી સાથે ઘણા વિધાયકો મંચ પર હાજર હતા. પરંતુ આ કાર્યક્રમમાં સીએમ યોગીને સાંભળવા માટે લોકો આવ્યા જ નહીં. આ વાતનો અંદાઝો ખાલી ખુરશીઓ પરથી મળી શકે છે. અહીં લોકોને સંબોધિત કર્યા પછી સીએમ યોગી હનુમાનધામ માટે ચાલ્યા ગયા હતા.

મુમુક્ષ આશ્રમમાં હતી જનસભા

મુમુક્ષ આશ્રમમાં હતી જનસભા

ખરેખર મુમુક્ષ આશ્રમમાં ચાલી રહેલા યુવા મહોત્સવમાં સીએમ યોગી આદિત્યનાથ આવ્યા હતા. ત્યાર કેબિનેટ મંત્રી સુરેશ કુમારથી લઈને કેન્દ્રીય મંત્રી કૃષ્ણ રાજ સાથે જિલ્લા પ્રસાશન બધી જ તૈયારીઓમાં જોડાઈ ગયું.

ખાલી રહી ખુરશી

ખાલી રહી ખુરશી

જિલ્લા પ્રસાશન અને બીજેપી નેતાઓ ઘ્વારા ગણતરી કરવામાં આવી હતી કે સીએમ યોગીને સાંભળવા માટે ઘણા લોકો આવશે. પરંતુ જયારે તૈયારીઓ પુરી થઇ ગયી અને સીએમ યોગી પણ જનસભામાં પહોંચી ગયા ત્યારે બીજેપી ઘ્વારા જેટલા લોકોની આવવાની આશા કરવામાં આવી હતી તે ખોટી પડી. જેનો અંદાઝો તમે ખાલી ખુરશીઓ પરથી લગાવી શકો છો.

જનતા આવી નહીં

જનતા આવી નહીં

આ ખુરશીઓ તે સમયે ખાલી હતી જયારે મંચ પર સીએમ યોગીથી લઈને કેબિનેટ મંત્રી, કેન્દ્રીય પ્રભારી મંત્રી સાથે ઘણા વિધાયકો મંચ પર હાજર હતા. સીએમ યોગીએ જનતાને સંબોધિત તો કરી પરંતુ તેમને સાંભળવા માટે ખુરશીઓ પર કોઈ હતું જ નહીં. અહીં લોકોને સંબોધિત કર્યા પછી સીએમ યોગી હનુમાનધામ માટે ચાલ્યા ગયા હતા.

English summary
People Who do not listen the cm yogi in shahjahanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X