ડિજિટલ પેમેંટ દ્વારા પેટ્રોલ-ડિઝલ ખરીદનારને મળશે છૂટ: જેટલી
નોટબંધી લાગૂ કરવાના 30 દિવસ પૂરા થવા પર પ્રેસ કોંફરંસ યોજીને નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે 4.5 કરોડ ગ્રાહકો લગભગ રોજ પેટ્રોલ ખરીદે છે...
નોટબંધી લાગૂ કરાયાના 30 દિવસ પૂરા થવા પર પ્રેસ કોંફરંસ યોજીને નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે 4.5 કરોડ ગ્રાહક લગભગ રોજ પેટ્રોલ ખરીદે છે. લગભગ 1800 કરોડ રુપિયાનું પેટ્રોલ રોજ ખરીદવામાં આવે છે. અમે જોયુ કે છેલ્લા એક મહિનામાં પેટ્રોલ પંપ પર કેશ ટ્રાંઝેક્શન 10% થી વધીને 40% થઇ ગયુ છે. માટે ડિજિટલ પેમેંટ દ્વારા પેટ્રોલ અને ડિઝલ ખરીદનારને 0.75 % છૂટ આપવામાં આવશે.

રેલવેની એમસીટી અને સિઝનલ ટિકિટ ઓનલાઇન ખરીદનારને પણ 0.75% ની છૂટ મળશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2017 થી પશ્ચિમ રેલવે સાથે સૌથી પહેલા લાગૂ કરવામાં આવશે. સાથે જ આ ટિકિટ ખરીદનારને 10 લાખ રુપિયાનો એક્સીડેંટલ વીમો પણ આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે નોબાર્ડ ખેડૂતોને રાહત આપવા માટે હવે બેંક રુપિયા કાર્ડ જારી કરશે.

તેમણે જણાવ્યુ કે સરકારનો પ્રયાસ છે કે વહેલામાં વહેલી તકે ડિજિટલ પેમેંટને લોકો સાથે જોડવા માટે 10 હજારની જનસંખ્યા ધરાવતા ગામમાં બે પીઓએસ આપવામાં આવશે. આના માટે 1 લાખ ગામોની પસંદગી કરવામાં આવી છે.

વિદેશી એમ્બેસીમાં કામ કરતા લોકોની કેશની તકલીફને દૂર કરવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે. હવે વિદેશી એમ્બેસીના લોકો પોતાનું આઇડેંટીટી કાર્ડ બતાવીને બેંકમાંથી કેશ ઉપાડી શકશે. તેમણે કહ્યુ કે ડિજિટલ પેમેંટ દ્વારા રેલવેની કેટરિંગ અને રિટાયરિંગ રુમ સર્વિસનો લાભ લેનાર લોકોને 5% છૂટ મળશે. તેમણે જણાવ્યુ કે ટોલ ટેક્સની ચૂકવણી ડિજિટલ પેમેંટ દ્વારા કરવા પર 10% છૂટ મળશે અને સરકારી લાઇફ ઇંસ્યોરંસ પોલિસી ઓનલાઇન વેબસાઇટથી ખરીદવા પર 10% અને તેના પ્રીમિયમની ચૂકવણીમાં 8% છૂટ મળશે.

પબ્લિક સેક્ટર બેંકોને સલાહ આપવામાં આવી છે કે જે દુકાનદારો પીઓએસ મશીન, માઇક્રો એટીએમ અને મોબાઇલ પીઓએસ સર્વિસનો ઉપયોગ કરે છે તેમની પાસેથી 100 રુપિયાથી વધારે ભાડુ લેવામાં ન આવે.
2000 રુપિયાથી વધુની ઓનલાઇન લેવડ-દેવડ કરવા પર કોઇ પણ સર્વિસ ટેક્સ નહિ આપવો પડે.
કેન્દ્ર સરકારના બધા કાર્યાલયો અને ઉપક્રમોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે લોકો પાસેથી કોઇ પણ ટ્રાંઝેક્શન ચાર્જ ન લે. સાથે રાજ્ય સરકારોને પણ આ બાબતે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
